________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૭] વચ્ચે તો અત્યંતભાવનો અભેદ્ય કિલ્લો ઊભો છે. પદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે અત્યંત-અભાવરૂપ અભેદ્ય કિલો પડયો છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ કયાં છે? ( નથી). અહીં ટીકામાં તો આમ લીધું છે કેઆત્મા પોતાના વિશેષને જાણે છે. સામાન્યને જાણે છે એ પહેલાં કહીને પછી વિશેષને જાણે છે એમ કહ્યું છે; પરને જાણે છે એમ અહીં વાત જ લીધી નથી.
અહાહા.કહે છે–પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને અર્થાત્ પોતાની પર્યાયનું લક્ષ જ છોડી દઈને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકન કર. શું કહ્યું આ? કે જ્યારે પર્યાયને જોનારી પર્યાયાર્થિક દષ્ટિ બંધ કરી તો હવે કોઈ જનારી દષ્ટિ રહી છે કે નહિ? તો કહે છે-દ્રવ્યને જોનારી દષ્ટિ રહી છે. કહ્યું ને કે-એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. અહાહા...! આ દ્રવ્યાર્થિક નય છે તે જ્ઞાન છે, તે ઉઘાડેલું જ્ઞાન છે. છે તો એ પર્યાય પણ તે જોનારી પર્યાય પર્યાયને ન જોતાં દ્રવ્યને જુએ છે. પર્યાયને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે પણ જ્ઞાન સર્વથા બંધ થયું નથી. જ્ઞાન તો ઉઘડેલું છે અને તે દ્રવ્યને જાણે છે. લ્યો, આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com