________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષસ્વરૂપ છે-બસ તેને જાણનારાં બે ચક્ષુ કહ્યાં છે. ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. અહો ! શું ગંભીર ટીકા છે ! વળી તેમાં “અનુક્રમે' શબ્દ છે; એટલે કે પહેલાં સામાન્યને જાએ છે અને પછી વિશેષને જુએ છે. ટીકામાં પણ એમ જ લીધું છે.
તો કહે છે તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને...' જાઓ, પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે, પર નહિ એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને-એમ ન કહ્યું પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને–એમ કહ્યું. અહાહા...! શું ગંભીર વસ્તુ છે! ભગવાન! આ પ્રવચનસાર, સમયસાર અને નિયમસારની એક એક ગાથા અતિ ગંભીર અને અલૌકિક છે.
અહીં તો કહે છે–ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે. ભાઈ ! પરને અને આત્માને સંબંધ શું છે? પર અને સ્વની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com