________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે; એટલે સામાન્ય અને વિશેષને જોનારાં એમ બે ચક્ષુ કહ્યાં છે પણ પરની વાત લીધી નથી.
અહાહાવસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે. એમાં “અનુક્રમે કહ્યું ને ? મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે; કારણકે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષ નું જ્ઞાન યથાર્થ થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે લ્યો, આવી સૂક્ષ્મ વાત ! પરને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહિ. અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું અને પછી વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું; કેમકે સામાન્યને જાણતાં જે જ્ઞાન થાય છે, જે પોતાનું વિશેષ છે તેને, વાસ્તવિક યથાર્થ જાણી શકે છે.
કહે છે-“સામાન્ય અને વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે.” ત્રણ ચહ્યું નથી કીધા, પણ પોતાનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com