________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૪] એમ વાંચી જવાથી એનો પાર આવે એવો નથી.
પ્રશ્ન:- શ્રીમદે છ પદ કહ્યાં છે તેમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે તો એ છે પદ જોવાં તો ખરાં ને?
- ઉત્તર:- ભાઈ ! અહીં તો એમ કહે છે કેપદોના જે ભેદ છે તેને પણ જોનારી આંખને સર્વથા બંધ કરી દઈને...(દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાનરૂપ દ્રવ્યાર્થિકનય વડે જો). અહા ! કોઈને ઝીણું પડે તો ધ્યાન દઈને સાંભળવું. બાપુ! આ તો અમૃતનાં ઘર છે; માંડમાંડ બહાર આવ્યું છે. તો એને ધીમેથી (ધીરજથી) સાવધાન થઈને સાંભળવું–સમજવું. અહા ! આવો સમય ક્યારે આવે ભાઈ ? (અનંતકાળે આવે).
અહાહા...! શું ભાવ ભર્યા છે! પહેલાં કહ્યું કે સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. આવા વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે. શું કહ્યું આ? કે જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જાએ છે પણ પરને નહીં. અહા ! ખૂબ ગંભીર વાત છે! પોતાની વિશેષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com