________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૩]
જ્ઞાન ઉઘડેલું છે એમ કહે છે.
અહાહા...! ‘ પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.’
જુઓ, અવલોકનારી છે તો પર્યાય ( પર્યાય અવલોકનારી છે) પણ તે પર્યાયને જોવાનું બંધ કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય-સામાન્યને અવલોકે છે. અહાહા...! શું ભર્યું છે! અજ્ઞાની આમ ને આમ વાંચી જાય અને માને કે અમે સ્વાધ્યાય કર્યો, પણ બાપુ! આ તો ‘પ્રવચનસાર ' એટલે દિવ્યધ્વનિનો સાર. બહુ ગહન ચીજ છે. કોઈ કહેતું હતું કે-મહારાજ (–કાનજીસ્વામી ) સમયસારનાં બહુ વખાણ કરે છે ને? પણ હું તો તે પંદર દિવસમાં જ વાંચી ગયો. અરે ભાઈ! સમયસાર તો (કેવળીના પેટની વાત) બહુ ગહન ચીજ છે પ્રભુ! એમ ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com