________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૨]
( અમૃતચંદ્રાચાર્યની ટીકામાં) ખુલ્લું નથી કહ્યું પણ જયસેનાચાર્યની ટીકામાં કહ્યું છે. જુઓ, સર્વદ્રવ્યેષુ યથાસંભવં જ્ઞાતવ્ય કૃતિ અર્થ:-એજયસેનાચાર્યની ટીકાના છેલ્લા શબ્દો છે. બાપુ! આ તો ઘીરાનાં કામ છે. સમયસાર કલશમાં છે ને કે-નિભૃત પુરુષો વડે અર્થાત્ સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષો વડે, ચિંતા વિનાના પુરુષો વડે આ વસ્તુ વિચારાય છે.
કહે છે– એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...’ જુઓ, ઉપર પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીનેએમ કહીને જોર આપ્યું અને એથી વિશેષ દઢ જોર આપવા હવે કહે છે–‘ એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...' મતલબ કે દ્રવ્ય જોવામાં આવે એ રીતે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો. અહાહા...! પર્યાયને જોવાની નહિ, પણ દ્રવ્યને જોવાની ઉઘાડેલી જ્ઞાનની પર્યાયથી જો. ‘એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ' કીધા છે ને? એટલે કે દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાયને જોવાનું જ્યારે બંધ કરી દીધું છે ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડયું છે એમ કહે છે, દ્રવ્યને જે નય જુએ છે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com