________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] ભેદજ્ઞાન-આત્મજ્ઞાન સાચે જ કઠણ છે, તોપણ સ્વરૂપનું વેદન કરતાં ભિન્નપણાનો સ્વાદ આવે છે (આત્મજ્ઞાન થાય છે ).
ભાવ બેસવો કઠણ તો છે, પણ ભગવાન આત્મા સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતાં અંતરમાં ભાવ બેસી જાય છે. આવી વાત છે. ભલે જોનારી પર્યાય વિશેષ છે, પણ એ જુએ છે સામાન્યને, અને એ પર્યાય એમ માને છે કે હું અખંડ એકસ્વરૂપે જ્ઞાયકરૂપે વિરાજમાન છું. અહાહા...! એ પર્યાયનો વિષય એકલી પર્યાય ન રહેતાં, પર્યાયનો વિષય દ્રવ્ય બની જાય છે. (ત્યારે અંતરમાં ભાવ બેસી જાય છે.)
અહીં કહે છે–ખરેખર સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. એનો અર્થ એ છે કે કોઈ ચીજ કોઈ અન્યથી બનેલી છે વા કોઈ ઈશ્વર એનો કરનારો છે એમ છે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શકે છે એમ નથી. સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે એટલે કે કાયમ રહેવાની અપેક્ષાએ સામાન્ય અને પલટવાની અપેક્ષાએ વિશેષ છે. સામાન્ય અને વિશેષ-એમ બે થઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com