________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫ ] જુઓ, એક આત્માને અને બીજા આત્માને પરસ્પર કાંઈ સંબંધ નથી. બન્ને સામાન્યપણે એક અને વિશેષપણે જુદા એમ નથી તથા તેઓ સામાન્યપણે જુદા અને વિશેષપણે એક એમ પણ નથી. શું કીધું એ ? કે અનંત જે બીજા આત્મા અને અનંતા જે પરમાણુઓ છે તે બધા આ આત્માથી સામાન્યપણે જુદા અને વિશેષપણે એક છે એમ પણ નથી તથા સામાન્યપણે એક અને વિશેષપણે જુદા છે એમ પણ નથી; પરંતુ પોતે જ જાદો (અન્ય-અન્ય ) અને પોતે જ અનન્ય છે એમ અહીં વાત છે.
અહાહા...! પોતાના દ્રવ્યમાં પ્રગટ થતી તે તે
પર્યાયનો કાળ અર્થાત્ ક્રમાનુપાતી સ્વકાળ છે. ( આ વાત ગાથા ૧૧૩ માં આવી ગઈ છે). તે પર્યાય ક્રમે સ્વકાળે ક્રમાનુસાર આવવાની હતી તે આવી છે. ત્યાં પહેલાં-પહેલાંની પર્યાયની અપેક્ષાએ તેને અન્ય કહીએ પણ વસ્તુની અપેક્ષાએ અનન્ય છે. આથી તે તે પર્યાય કોઈ બીજાથી થઈ છે એમ છે જ નહિ. ભાઈ ! ભાષા તો સહેલી સહેલી છે પણ એનો ભાવ...( બેસવો ) કઠણ છે; તથાપિ ન બેસે એમેય નથી. કળશટીકામાં ( કળશ ૬૦ માં ) આવે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com