________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] દ્રવ્યનું સ્વરૂપ છે. આગળ પણ એનું સ્વરૂપ બે-રૂપે છે એમ આવશે. પરને અને એને કાંઈ સંબંધ નથી.
પ્રશ્ન- વહાલી પત્ની હોય અને વહાલા દીકરા હોય તોપણ આત્માને તેની સાથે સંબંધ નહિ?
ઉત્તર- અહા ! કોના બાપ અને કોના દીકરા? જ્યાં વસ્તુનું વિશેષ પણ એક સમય ટકે છે ત્યાં બીજી ચીજ (પત્ની, પુત્ર આદિ) તેની (આત્માની) છે એ વાત કયાં રહી પ્રભુ? દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષાએ ધ્રુવ છે પણ ક્ષણિક અવસ્થાની અપેક્ષાએ તો એક સમય જ હોય છે. વસ્તુ ધ્રુવ છે છતાં તેનું વિશેષ એક સમય જ ટકે છે. પર્યાય તેની છે છતાં તે એક સમય જ રહે છે તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેને અન્ય પણ કહીએ તથા આભદ્રવ્યની અપેક્ષા તેમાં દ્રવ્ય વર્તે છે માટે અનન્ય પણ કહીએ. પરંતુ આત્માને અને પરને વા પરમાણુ-પરમાણુને કોઈ સંબંધ નથી. આ વાત લોકોને ભારે કઠણ પડે છે, પણ લોકોને વિચારવાનો વખત કયાં છે? આખો દિવસ ધંધા-વેપારમાં, કુટુંબ-પરિવારને પંપાળવામાં અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com