SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા ૧૧ આત્મા મરણતુલ્ય થઈ જાય છે. આમ માનનારે આખા ચૈતન્યતત્ત્વને મારી નાંખ્યું છે. આવા અજ્ઞાનીને ભગવાનની વાણી સજીવન કરે છે. એટલે કે પોતે પોતાથી સજીવન થાય તો ભગવાનની વાણીએ સજીવન કર્યો એમ કહેવાય છે. એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે – પ્રભુ! તું રજકણ અને રાગથી ભિન્ન એવો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો. દાય, દાન, ભક્તિ આદિ તથા કામ, ક્રોધાદિના જે (શુભાશુભ) વિકલ્પો થાય છે તે રાગાદિ સ્વરૂપ હોવાથી તેમાં ચૈતન્યનો અંશ નથી. માટે તું એ બધાથી ભિન્ન છો. (૨-૧૫૩) (૩૧) અહાહા ! જીવતી-જાગતી ચૈતન્યજ્યોત અંદર પડી છે તે જ્ઞાન-દર્શનમય ચૈતન્યપ્રાણથી ત્રિકાળી ટકી રહી છે. આવા ત્રિકાળ ટકતા તત્ત્વને ન માનતાં, દેહની ક્રિયા મારી, જડ કર્મ મારું, દયા, દાન ઇત્યાદિ વિકલ્પ મને લાભદાયક એમ માનીને અરેરે ! જીવતી જ્યોતને ઓલવી નાખી છે. માન્યતામાં એના ત્રિકાળ સત્ત્વનો નકાર કર્યો છે. (૨-૧૫૪) (૩૨) ભાઈ ! જે સમ્યગ્દર્શનના અનુભવમાં જણાય છે તે ચૈતન્યસત્તા પરિપૂર્ણ મહાન છે. તે પરિપૂર્ણ સત્તામાં રાગનો કણ કે શરીરનો રજકણ સમાય એમ નથી. અહાહા! તે જ્ઞાયક ચૈતન્યચંદ્ર એકલો શીતળ-શીતળ-શીતળ, શાંત-શાંત-શાંત અકષાય સ્વભાવનું પૂર છે. ભાઈ ! તું જ આવડો મહાન છો પોતાની અનંત રિદ્ધિ-ગુણસંપદાની ખબર નથી તેથી જે પોતાની સંપત્તિ નથી એવાં શરીર, મન, વાણી, બાગ, બંગલા ઇત્યાદિને પોતાની સંપત્તિ માની બેઠો છે. અરે પ્રભુ! તું ક્યાં રાજી થઈ રહ્યો છો? રાજી થવાનું સ્થાન તો આનંદનું ધામ એવો તારો નાથ અંદર પડ્યો છે ને! એમાં રાજી થા ને. બહારની ચીજમાં રાજી થવામાં તો તારા આનંદનો નાશ થાય છે. (૨-૧૫૪ ) (૩૩) આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય ’ –જુઓ “ભગવાન” થી ઉપાડ્યું. ભગવાન સ્વરૂપ જ આત્મા છે. ક્યારે? અત્યારે અને ત્રણેકાળ. જો અત્યારે ભગવાન સ્વરૂપ ન હોય તો પર્યાયમાં ભગવાનપણું ક્યાંથી આવશે? શું તે ક્યાંય બહારથી આવે છે? (ના). સ્વભાવથી ભગવાનસ્વરૂપ છે તે પર્યાયમાં “એલાર્જ' પ્રગટ થાય છે. જો અત્યારે ભગવાન સ્વરૂપ ન હોય તો ક્યારેય પણ ભગવાન થઈ શકે નહિ. ૩૧-૩ર ગાથામાં પણ “ભગવાન જ્ઞાનસ્વભાવ” એમ આવી ગયું છે. અહીં સંસ્કૃત ટીકામાં “ભવિત’ શબ્દ પડ્યો છે. ભગનામ લક્ષ્મી વત્ એટલે વાળો. આત્મા અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો પરિપૂર્ણ ભગવાન છે. “આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય” એમ કહીને તેનું પ્રત્યક્ષપણું કહ્યું છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy