SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્વમાં ઉપયોગ વખતે અબુદ્ધિપૂર્વક વિકલ્પ હોવા છતાં નિર્વિકલ્પપણું કેમ કહ્યું ? અનુભવનો અચિંત્ય મહિમા, અને તેની પ્રેરણા 卐 แ “ પ્રશ્નઃ- જો નિર્વિકલ્પ-અનુભવમાં કોઈ વિકલ્પ નથી તો શુકલધ્યાનનો પ્રથમ ભેદ જે પૃથકત્વ-વિતર્ક-વિચાર કહ્યો છે તેમાં પૃથ વિતર્ક-વિચાર એટલે અનેક પ્રકારના શ્રુત અને વિચાર, અર્થાત્ અર્થવ્યંજન અને યોગનું સંક્રમણ–એમ કેમ કહ્યું ? ઉત્તર:- કથન બે પ્રકારે છે–એક સ્થૂલરૂપ છે અને બીજું સૂક્ષ્મરૂપ છે. જેમ સ્થૂળપણે તો છઠ્ઠા જ ગુણસ્થાને સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત કહ્યું અને સૂક્ષ્મપણે નવમા સુધી મૈથુનસંજ્ઞા કહી; તેમ અહીં અનુભવ વિષે નિર્વિકલ્પતા સ્થૂળરૂપે કહીએ છીએ, પરંતુ સૂક્ષ્મરૂપે પૃથકત્વવિતર્ક-વિચાર આદિક ભેદમાં અથવા દશમા ગુણસ્થાન સુધી કષાયાદિક કહ્યા છે. જે પોતાને કે અન્યને જાણવામાં આવે એવા ભાવનું કથન સ્થૂળ સમજવું, અને જે પોતે પણ ન જાણે, કેવળી ભગવાન જ જાણે એવા ભાવોનું કથન સૂક્ષ્મ જાણવું. તેમાં ચરણાનુયોગ વગેરેમાં સ્થૂળ કથનની મુખ્યતા છે. અને કરણાનુયોગ વગેરેમાં સૂક્ષ્મ કથનની મુખ્યતા છે. આવો ભેદ અન્યત્ર પણ જાણવો. આ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું.” ઉપયોગ જ્યારે સ્વાનુભવમાં જોડાય ત્યારે નિર્વિકલ્પદશા કહેવામાં આવે છે, કેમકે તે વખતે ઉપયોગનું જોડાણ વિકલ્પમાં નથી, ઉપયોગ નિજસ્વરૂપમાં જે એકાગ્ર થયેલો છે. જોકે નિર્વિકલ્પ અનુભવ વખતેય સરાગી જીવને અંદર અબુદ્ધિપૂર્વક વિકલ્પો તો છે, રાગનું કાર્ય વિકલ્પ છે તે ત્યાં પડયો છે, પણ ઉપયોગ તેમાં નથી, અને તે એવો સૂક્ષ્મ છે કે તે પોતાને કે બીજા સ્થૂળ જ્ઞાનીને ખ્યાલમાં આવી શકતો નથી, સામાન્ય છદ્મસ્થને ખ્યાલમાં આવે તેવા સ્થૂળ વિકલ્પ ત્યાં નથી, તેથી સ્થૂળ કથનમાં ત્યાં નિર્વિકલ્પતા Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy