________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૫૯ છે. આ જ્ઞાન પરોક્ષ છે તેથી કરીને કાંઈ તે શંકાશીલ નથી, આત્માના સ્વરૂપમાં તે નિઃશંક છે, સંદેહ વગરનું છે, વિપરીતતા વગરનું છે, “આમ હશે કે કેમ હશે!' એવું અચોક્કસપણે તેનામાં નથી. બ્રહ્માંડ ફરે તોય એ ન ફરે–એવું દઢ એ સ્વાનુભવજ્ઞાન હોય છે. મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં સ્વાનુભવ વખતે તેની જે ખાસ વિશેષતા છે તે પછી બતાવશે.
(પરોક્ષજ્ઞાનમાં સ્મૃતિ પ્રત્યભિ વગેરે જે પાંચ ભેદ કહ્યા હતા તે આત્માને જાણવામાં કયા પ્રકારે કામ કરે છે તે બતાવે છે.)
સંસારમાં ગમે તેવા કલેશના કે પ્રતિકૂળતાના પ્રસંગો આવે પણ જ્ઞાનીને જ્યાં ચૈતન્યની સ્કૂરણા થઈ ત્યાં તે બધાય કલેશ કયાંય ભાગી જાય છે. ગમે તેવા પ્રસંગમાયા એનાં શ્રદ્ધા જ્ઞાન ઘેરાઈ જતા નથી. જ્યાં ચિદાનંદ-હંસલાનું સ્મરણ કર્યું ત્યાં જ દુનિયાના બધા કલેશો દૂર ભાગી જાય છે. સંસારના ઝેરને ઉતારી નાખનારી આ જડીબુટ્ટી છે. એ જડીબુટ્ટી સુંઘતાં સંસારના થાક ક્ષણભરમાં ઊતરી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk