________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનોનું વિશેષ વર્ણન
મતિ-શ્રુત જ્ઞાનની તાકાત
ત્યક્ષ અને પરોક્ષના ભેદના બીજા પ્રકારો દર્શાવે છે:
“વળી પ્રત્યક્ષના બે ભેદ છે–પરમાર્થ પ્રત્યક્ષ અને વ્યવહાર પ્રત્યક્ષ. અવધિ, મન પર્યય અને કેવળજ્ઞાન તો સ્પષ્ટ પ્રતિભાસરૂપ જ છે તેથી તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. અને નેત્રાદિ વડે વર્ણાદિકને જાણીએ છીએ તેથી તેને સાંવ્યવહારિક-પ્રત્યક્ષ કહીએ છીએ.
વળી પરોક્ષપ્રમાણના પાંચ ભેદ છેઃ ૧-સ્મૃતિ, ૨-પ્રત્યભિજ્ઞાન, ૩-તર્ક, ૪-અનુમાન અને પ-આગમ. તેમાં--
૧. પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તે સ્મૃતિ કહીએ. ૨. દષ્ટાંત વડે વસ્તુનો નિશ્ચય કરીએ તે પ્રત્યભિજ્ઞાન કહીએ. ૩. હેતુથી જે વિચારમાં લીધું તે જ્ઞાનને તર્ક કહીએ. ૪. હેતુ વડે સાધ્ય વસ્તુનું જ્ઞાન તે અનુમાન કહીએ. ૫. આગમથી જે જ્ઞાન થાય તેને આગમ કહીએ. આ પ્રમાણે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના ભેદો કહ્યા.”
અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન એ ત્રણે પરમાર્થ પ્રત્યક્ષ છે. તેમાં કેવળજ્ઞાન તો મહા પ્રત્યક્ષ, પરમ અતીન્દ્રિય, સંપૂર્ણ પ્રત્યક્ષ દિવ્ય જ્ઞાન છે; અવધિ-મન:પર્યયજ્ઞાનમાં ઈન્દ્રિયાદિનું અવલંબન નથી, પણ તે જ્ઞાનો અમુક વિષયોને જ જાણે છે તેથી તે બંને એકદેશ પ્રત્યક્ષ છે. આ ત્રણે જ્ઞાન પરમાર્થ પ્રત્યક્ષ છે. અને મતિ-શ્રુતજ્ઞાન જો કે પરોક્ષ છે, પણ વ્યવહારમાં “મેં આ વસ્તુ નજરે જોઈ, મેં અમુક માણસને સાક્ષાત્ દેખ્યો' ઇત્યાદિ પ્રકારે કહેવામાં આવે છે તેથી તે જ્ઞાનને “સાંવ્યવહારિક પ્રત્યક્ષ” પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk