SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૪૧ કયારેક કયારેક સ્વઉપયોગ થાય છે. ત્યાં પર તરફ ઉપયોગ વખતે સ્વનું જ્ઞાન લબ્ધરૂપે હોય છે, એટલે પહેલાં સ્વસંવેદનથી જે આત્મસ્વરૂપ જાણ્યું છે ને પ્રતીતમાં લીધું છે તેમાં કાંઈ ફેર પડી જતો નથી. એક શેય” એટલે અન્નેય અથવા પરય-એ બેમાંથી એક એવો અર્થ લેવો; આમ તો મતિજ્ઞાનના વિષયમાં બહુ-બહુવિધ વગેરે અનેક પ્રકારો લીધો છે. એક સાથે અનેક મનુષ્યો તેમજ પશુ-પંખીના અવાજ સાંભળે અને તેમાંથી દરેકના અવાજને ભિન્ન ભિન્ન સાંભળે એવી ગણધરદેવની તાકાત હોય છે, છતાં તેમને પણ સ્વમાં અને પરમાં એમ એક સાથે બંનેમાં ઉપયોગ હોતો નથી. પરંતુ, સ્વ-પરની ભિન્નતાનું જે ભાન થયું છે તે તો પરયમાં ઉપયોગ વખતેય ધર્મીને કાંઈ ખસતું નથી; ઉપયોગ જો બે ઘડી સુધી સ્વયમાં ટકે તો તો કેવળજ્ઞાન થઈ જાય. એટલો લાંબો કાળ છદ્મસ્થનો ઉપયોગ સ્વર્શયમાં થંભે નહિ. અહીં કહે છે કે ઉપયોગ ભલે સ્વમાં સદૈવ ન રહે પણ લબ્ધજ્ઞાન તો પ્રતિક્ષણે વર્તી જ રહ્યું છે; એટલે પરમને જાણતાં પણ તેમાં કયાંય ધર્મીને એકતા થતી નથી. ધર્મી બધેથી જુદો ને જુદો જ રહે છે. બહારથી જોનારને બીજા જેવું સરખું લાગે કે અમેય શુભ-અશુભ કરીએ છીએ ને અમારી જેમ આ ધર્મી પણ શુભાશુભ કરી રહ્યા છે. –પણ ભાઈ ! એની પરિણતિ અંદરમાં રાગથી કોઈ જાદું જ કામ કરી રહી છે. એની પ્રતીતમાં, એના જ્ઞાનમાં સ્વજ્ઞય કદી ભૂલાતું નથી, –ઉપયોગ ભલે બહારમાં કદાચિત વિષય કષાયોમાં કે લડાઈ વગેરેમાં પણ હો. જો કે એને વિશેષપણે તો શુભરાગ-દેવગુરુશાસ્ત્રની સેવાભક્તિ, સ્વરૂપચિંતન વગેરે જ હોય છે; છતાં તે ભૂમિકામાં અશુભનો પણ સર્વથા અભાવ થયો નથી હોતો. પાંચમા ગુણસ્થાને પણ અશુભભાવ કોઈકવાર આવી જાય છે. પણ અહીં તો તે જ વખતે તેના અંતરમાં શ્રદ્ધાની ને જ્ઞાનની નિર્મળગંગાનો જે સમ્યક પ્રવાહુ વહી રહ્યો છે તે બતાવવો છે. જ્ઞાનગંગાનો એ સમ્યક પ્રવાહ બધાય વિકારને ધોઈ નાંખશે ને કેવળજ્ઞાન-સમુદ્રમાં જઈને ભળશે. એવા ધર્મીને જે વખતે સ્પર્શયમાં ઉપયોગ હોય તે વખતની આ વાત ચાલે છે. અહા, નિર્વિકલ્પ અનુભવમાં ચૈતન્યગોળો જગતથી એવો જુદો અનુભવાય છે કે બહારમાં શું બની રહ્યું છે તેનું લક્ષ નથી; દેહનું શું થાય છે, અરે, દેહ છે કે નથી, એનુંય લક્ષ નથી. આત્મા અતીન્દ્રિય આનંદમાં જ મગ્ન છે. આવી સ્થિતિ ચોથા ગુણસ્થાને ગૃહસ્થાશ્રાવકને પણ હોય છે. આવા આત્મસ્વરૂપને સાધવા જે નીકળ્યો તેને જગતનો કોઈ સંયોગ ડગાવી શકે નહિ, - પ્રતિકૂળ કે અનુકૂળ કોઈ સંયોગ તેને હલાવી શકે નહિ. જ્યાં Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy