________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૩૯ સિદ્ધસમાન છે, પર્યાયષ્ટિથી મારામાં મલિનતા છે; મોક્ષમાર્ગ નિશ્ચયથી શુદ્ધ સ્વભાવના જ આશ્રયે છે; રાગને જો મોક્ષનું કારણ માનીએ તો આસવ અને સંવર તત્ત્વો ભિન્ન ન રહે; ઉપયોગને અંતર્મુખ કરવાથી જ શુદ્ધાત્માની અનુભૂતિ થાય ને ત્યારે જ આનંદનું વદન પ્રગટે. –આમ અનેક પ્રકારે યુક્તિથી, નય–પ્રમાણ વગેરેથી નક્કી કરે. આત્માનું સ્વરૂપ ક્યું ? તેની શક્તિઓ કેવી ? તેનું કાર્ય કેવું? તેના પ્રદેશો ક્યા? તેના ભાવો કેવા ? સ્વભાવભાવો કયા ? વિકારી ભાવો યા ? ઉપાદેયરૂપ શુદ્ધસ્વરૂપ કેવું? તેના અનુભવનું સુખ કેવું ? તેનો પ્રયત્ન કેવો ? –એમ અનેક પ્રકારથી વિચારીને નક્કી કરતી વખતે સાથે વિક્લ્પ હોય છે; પણ પછી, બધાય પડખેથી સ્વરૂપ બરાબર નક્કી કરીને, તેનો ઉત્કૃષ્ટ મહિમા લાવીને પ્રયત્નપૂર્વક જ્યારે ઉપયોગને અંતર્મુખ કરીને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરે છે ત્યારે તો એ અનુભવના આનંદનું જ વેદન રહે છે, ઉપરના કોઈ વિક્લ્પો ત્યાં હોતા નથી. -આ રીતે સમ્યગ્દષ્ટિને નિર્વિકલ્પ અનુભવ થાય છે. આવો અનુભવ કરવો એ જ આરાધનાનો ખરો સમય છે; આવો અનુભવ એ જ સાચી આરાધના છે. પહેલાં વિચારદશામાં વિક્લ્પ હતો તેથી સવિ‚દ્વારા આ અનુભવ થયો–એમ કહ્યું, પરંતુ ખરેખર કાંઈ વિ‚દ્વારા અનુભવ થયો નથી, વિલ્પ તૂટયો ત્યારે સાક્ષાત્ અનુભવ થયો છે. ને એ અનુભવને ‘ પ્રત્યક્ષ ' ક્યો છે. –‘ પઘ્નવો અનુહવો નન્દા' (પ્રવચનસાર ગાથા ૮૦ માં પણ મોક્ષયનો ઉપાય દર્શાવતાં આવી જ શૈલિનું વર્ણન કર્યું છે; ત્યાં પ્રથમ અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયની ઓળખાણ દ્વારા પોતાનું સ્વરૂપ વિચારી, પછી સાક્ષાત્ અનુભવ કરે છે-તે બતાવ્યું છે.)
‘વિચારમાં તો વિક્લ્પ થાય છે' એમ સમજી કોઈ વ વિચારધારા જ ન ઉપાડે, તો કહે છે કે ભાઈ ! વિચારમાં કાંઈ એક્લા વિક્લ્પ જ નથી; વિચારમાં ભેગું જ્ઞાન પણ તત્ત્વનિર્ણયનું કામ કરે છે. એમાં જ્ઞાનની મુખ્યતા કર ને વિક્લ્પને ગૌણ કર. આમ સ્વરૂપનો અભ્યાસ કરતાં કરતાં જ્ઞાનનું બળ વધતાં વિક્લ્પ તૂટી જશે ને જ્ઞાન રી જશે, એટલે કે વિલ્પથી છૂટું જ્ઞાન અંતરમાં વળીને સ્વાનુભવ કરશે. પણ જે જીવ તત્ત્વનું અન્વેષણ જ કરતો નથી, આત્માની વિચારધારા જ જે ઉપાડતો નથી તેને તો નિર્વિલ્પ સ્વાનુભવ કયાંથી થશે? માટે જે જિજ્ઞાસુ થઈને સ્વાનુભવ કરવા માંગે છે, તે યથાર્થ તત્ત્વોનું અન્વેષણ કરીને તત્ત્વનિર્ણય કરે છે ને સ્વભાવ તરફની વિચારધારા ઉપાડે છે, તે જીવ પોતાનું કાર્ય અધૂરું મુકશે નહીં; તે પુરુષાર્થ વડે વિક્લ્પ તોડીને, સ્વરૂપમાં ઉપયોગ જોડીને નિર્વિલ્પ સ્વાનુભવ કરશે જ. સ્વભાવના લક્ષે ઉદ્યમ ઉપાડયો તે વિક્લ્પમાં અટકશે નહિ, વિક્લ્પમાં સંતોષ પામશે નહિ; એ તો સ્વાનુભવથી કૃતકૃત્યદશા પ્રગટ કર્યે જ છૂટકો. માટે કહ્યું છે કે ‘ કર વિચાર તો પામ.’
હવે નિર્વિકલ્પઅનુભવમાં જ્ઞાન કયા પ્રકારે વર્તે છે-તે દેખાડે છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk