________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૭ પરિણામની સ્થિતિ કેવી હોય તે અહીં બતાવવું છે. વિષયકષાયના જરા પણ ભાવ હોય ત્યાં સમ્યજ્ઞાન હોય જ નહીં-એમ કોઈ માને તો તે બરાબર નથી. અથવા વિષયકક્ષાના પરિણામ સર્વથા છૂટીને વીતરાગ થાય ત્યારે જ સમ્યજ્ઞાન થાય-એમ કોઈ કહે તો તે પણ બરાબર નથી. હા, એટલું ખરું કે એને વિષયકષાયનો રસ અંતરમાંથી સર્વથા છૂટી જાય, એમાં કયાંય અંશમાત્ર પણ આત્માનું હિત કે સુખ ન લાગે; એટલે એમાં સ્વચ્છેદે તો તે ન જ વર્તે. એ “સદનનિવાસી તદપિ ઉદાસી” હોય છે.
આ રીતે ધર્મીને સમ્યજ્ઞાન સાથે શુભ-અશુભ પરિણામ પણ વર્તતા હોય છે પણ તેથી કાંઈ તેના સમ્યકશ્રદ્ધા જ્ઞાન દુષિત થઈ જતા નથી; જ્ઞાનપરિણામ જુદા છે ને શુભાશુભ પરિણામ જાદા છે, બંનેની ધારા જુદી છે. વિકલ્પ અને જ્ઞાનની ભિન્નતાનું ભાન વિકલ્પ વખતેય ખસતું નથી. ઉપયોગ ભલે પરને જાણવામાં રોકાયો હોય તેથી કાંઈ શ્રદ્ધા કે જ્ઞાન મિથ્યા થઈ જતા નથી. આ રીતે ધર્મીને સવિકલ્પદશા વખતે પણ સમ્યકત્વની ધારા તો એવી ને એવી વસ્તું જ છે.
સવિકલ્પદશા વખતે એટલે કે ઉપયોગ બીજે કયાંક હોય ત્યારે પણ સમકિત કયા પ્રકારે વર્તે છે? એ વાત હવે પ્રશ્નોત્તરથી દષ્ટાંતપૂર્વક સમજાવે છે.
હજારો વર્ષનાં શાસ્ત્રભણતર કરતાં એક ક્ષણનો સ્વાનુભવ વધી જાય છે. જેને ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk