________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૨૫ ને મોક્ષમાર્ગને જે ન સમજે તેને ધર્મ કયાંથી થાય? જેમ કોઈ સજ્જન પાસે એક રૂપીઓ સાચો હોય, ભલે અબજ રૂપીઆ તેની પાસે ન હોય, તેથી શું અબજ રૂપીઆને તે જાણી ન શકે? જેવો મારી પાસે આ રૂપીઓ છે તેવી જ જાતના અબજ રૂપીઆ હોય, એમ તે બરાબર જાણી શકે છે, તેમ સમકિતી મતિ-શ્રુતજ્ઞાની સંત પાસે કેવળજ્ઞાન ભલે પ્રગટ ન હોય, પરંતુ શુદ્ધાત્માની શ્રદ્ધાના બળે જ્ઞાનસ્વભાવનો પણ નિર્ણય કરીને, કેવળજ્ઞાન કેવું હોય એ તેણે બરાબર જાણી લીધું છે, ને એ કેવળજ્ઞાનની જાતનું જ મારું આ સમ્યજ્ઞાન છે-એમ તે નિઃશંક જાણે છે. હજાર પાંખડીવાળા કમળની જે કળી પહેલાં થોડી ખીલી તે જ વધીને પૂરી ખીલે છે, તેમ અનંત પાંખડીવાળું જે ચૈતન્યકમળ તેમાં સમ્યગ્દર્શન થતાં જે મતિધૃતરૂપ થોડી જ્ઞાનકલા ખીલી તે જ કળા સ્વરૂપમાં એકાગ્રતાવડ વધતાં વધતાં કેવળજ્ઞાનરૂપ પૂર્ણકલા ખીલી જશે. આ રીતે સમ્યજ્ઞાનની અપેક્ષાએ મતિ-શ્રુત ને કેવળની જાતિ એક જ છે. આ ચિક્રિમાં જ આગળ જતાં અસહસ્ત્રીનો આધાર આપીને કહ્યું છે કે કેવળજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ સર્વ તત્ત્વને પ્રકાશનાર છે, માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષનો જ તેમાં ભેદ છે પરંતુ વસ્તુસ્વરૂપે તેઓ એકબીજાથી અન્ય નથી.
સમ્યગ્દષ્ટિને શુદ્ધાત્માની પ્રતીતરૂપ સભ્યશ્રદ્ધા થઈ છે, સ્વ-પરના યથાર્થ ભેદજ્ઞાન વડે સમ્યક મતિ-શ્રુતજ્ઞાનરૂપ કેવળજ્ઞાનનો અંશ પ્રગટયો છે, હવે એની સાથે તે સમકિતીના પરિણામ કેવા હોય તે બતાવે છે.
એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી. આમ સમ્યકત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે. -એમ સમજીને હે જીવ! તેની આરાધનામાં તત્પર થા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk