________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : અધ્યાત્મ-સંદેશ મેળાપ તો થવો હશે ત્યારે થશે. એ જમાનામાં કાંઈ આજની જેમ રેલવે કે બલૂન ન હતા કે એકબે દિ'માં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જવાય. એ વખતે તો મુસાફરી ઘણી મુશ્કેલ હતી ને એક ગામથી બીજે ગામ જવામાં ઘણા દિવસો લાગતા. એ વખતે આજની જેમ ટપાલ ન હતી, પણ ખેપિયા મારફત કાગળ મોકલતા, જે ઘણા દિવસે મળતા. બાહ્ય મેળાપ થવો તે પોતાના હાથની વાત નથી પણ અંદરમાં સ્વરૂપના અનુભવની ભાવના કરવી તે સ્વાધીન છે, તેથી તેની ભાવનાથી લખે છે કે નિરંતર સ્વાનુભવમાં રહેશો. સ્વાનુભવમાં રહેવાનું પોતાને ગમ્યું છે તેથી બીજા સાધર્મીને પણ તેની જ ભલામણ લખે છે. પોતાના ભાવમાં જે રુચ્યું તેની બીજાને અનુમોદના કરે છે. જાઓ, સાધર્મી સાથે પત્રદ્વારા પણ કેવી ભાવના ભાવે છે!
સ્વાનુભવ એ મૂળ વસ્તુ છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી, મતિ-શ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની ગાંઠ તૂટે છે, ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk