________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
A # # # # # # # # # # # # # # # # %
મંગલ ઉપોદ્રદ્યાત ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું. R ( @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ R
“સિદ્ધ શ્રી મુલતાનનગર મા શુભસ્થાન વિષે સ્વધર્મી ભાઈ અનેક ઉપમાયોગ્ય અધ્યાત્મરસરોચક ભાઈશ્રી ખાનચંદજી, ગંગાધરજી, શ્રીપાલજી, સિદ્ધારથદાસજી આદિ સર્વે સ્વધર્મી યોગ્ય. લિ. ટોડરમલ્લના શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. અહીં યથાસંભવ આનંદ છે. તમને ચિદાનંદઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું.”
પં. શ્રી ટોડરમલ્લજીએ આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાં (સં. ૧૮૧૧ ના ફાગણ-ગુજરાતી માહ-વદ પાંચમે ) સાધર્મી ભાઈઓ ઉપર એક અધ્યાત્મરસપૂર્ણ પત્ર લખેલ, તેમાં સર્વિકલ્પ-નિર્વિકલ્પદશા તેમજ સમ્યગ્દર્શન, અને સ્વાનુભવમાં પ્રત્યક્ષ-પરોક્ષપણું વગેરે સંબંધી આધ્યાત્મિકરસભરેલી ચર્ચા કરી છે. તે ચિઠ્ઠી ઘણી સરસ છે, તેથી પ્રવચનમાં વંચાય છે. એક ધર્મી ગૃહસ્થ બીજા સાધર્મીઓ ઉપર કેવો પત્ર લખે છે ને સ્વાનુભવ સંબંધી કેવી ચર્ચા કરે છે–તે આ પત્ર ઉપરથી દેખાઈ આવે છે.
માંગલિકમાં “શ્રી” એટલે સિદ્ધસ્વરૂપ જે આત્મલક્ષ્મી તેનું પ્રથમ સ્મરણ કરીને શરૂઆત કરે છે. સાધર્મીઓને માટે અધ્યાત્મરસરોચક” વિશેષણ વાપરીને કેવું સરસ સંબોધન કર્યું છે! સાધર્મી પ્રત્યે કેવો વિનય-સત્કાર છે! વળી લખે છે કે અમને યથાસંભવ આનંદ છે, અને તમને ચિદાનંદના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું.” વાર્યું, જુઓ આ સાધર્મીની એકબીજા પ્રત્યેની ભાવના! ધર્મીને બીજા સાધર્મી પ્રત્યે ધર્મનો પ્રમોદ આવે છે, એટલે લખે છે કે તમને ચિદાનંદના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ હો. પોતાને ચિદાનંદનો અનુભવ અંતરમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk