________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વક્તા અને શ્રોતાની ચૌભંગીનાં દષ્ટાંતે
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
શુદ્ધ-અશુદ્ધ નિમિત્ત-ઉપાદાનનો વિચાર [તેમાં પર્યાયાર્થિક નિમિત્ત-ઉપાદાનની ચૌભંગી]
“(૧) વક્તા અજ્ઞાની, શ્રોતા પણ અજ્ઞાની;
તે તો નિમિત્ત પણ અશુદ્ધ અને ઉપાદાન પણ અશુદ્ધ. (૨) વક્તા અજ્ઞાની, અને શ્રોતા જ્ઞાની;
તે નિમિત્ત અશુદ્ધ અને ઉપાદાન શુદ્ધ. (૩) વક્તા જ્ઞાની અને શ્રોતા અજ્ઞાની;
તે નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન અશુદ્ધ. (૪) વક્તા જ્ઞાની અને શ્રોતા પણ જ્ઞાની;
તે નિમિત્ત પણ શુદ્ધ અને ઉપાદાન પણ શુદ્ધ.
એ પ્રમાણે પર્યાયાર્થિકનયથી ઉપાદાન-નિમિત્તની ચૌભંગી કહી.”
દ્રવ્યાર્થિકનયના કથનમાં ઉપાદાન ને નિમિત્ત એ બંને એક જ વસ્તુમાં હતા, તે જ્ઞાન ને ચારિત્રનો દાખલો આપીને સમજાવ્યું. અને આ પર્યાયાર્થિકનયના કથનમાં ઉપાદાન ને નિમિત્ત એ બંને ભિન્ન ભિન્ન વસ્તુમાં છે, તે અહીં વક્તા અને શ્રોતાનો દાખલો આપીને સમજાવ્યું છે. શ્રોતા ઉપાદાન છે, ને વક્તા નિમિત્ત છે. જે વક્તા-શ્રોતા જ્ઞાની હોય તેને શુદ્ધ કહેવાય, ને અજ્ઞાની હોય તેને અશુદ્ધ કહેવાય.
(૧) કોઈવાર વક્તા ને શ્રોતા બંને અજ્ઞાની હોય, ત્યાં નિમિત્તઉપાદાન બને અશુદ્ધ છે. જ્યાં અજ્ઞાનીનો વિપરીત ઉપદેશ ચાલતો હોય છતાં જેને તે રુચે તે શ્રોતા પણ અશુદ્ધ ઉપાદાનવાળો છે; શુદ્ધ ઉપાદાનવાળા જીવને એવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk