________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ : અધ્યાત્મ-સંદેશ સ્વભાવ લક્ષગત કરી લીધો, તેને સંતો શાબાશી આપે છે. તે જરૂર મોક્ષમાર્ગ પામશે એવા સંતોના આશીર્વાદ છે.
[દ્રવ્યાર્થિક-ચૌભંગી એટલે કે એક જ દ્રવ્યના આશ્રયે ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાર પ્રકારોનું વર્ણન અહીં પૂરું થયું; હવે પર્યાયાર્થિક-ચૌભંગી એટલે કે ભિન્નભિન્ન દ્રવ્યના આશ્રયે ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાર પ્રકારોનું વર્ણન કરે છેઃ]
તીર્થકરો અને મુનિઓની તો શી વાત !-તેઓનું તો જીવન સ્વાનુભવ વડે અધ્યાત્મરસથી ઓતપ્રોત બનેલું છે; તે ઉપરાંત જૈન શાસનમાં અનેક ધર્માત્માશ્રાવકો પણ એવા પાકયા છે કે જેમનું અધ્યાત્મ-જીવન અને અધ્યાત્મવાણી અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા જગાડે છે. અધ્યાત્મરસ એ જગતના બધા રસો કરતાં સર્વોત્કૃષ્ટ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk