________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૧૩ ઉત્તરઃ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં એ પાંચેય બંધકારણોનો અભાવ આવી જ જાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાનમાં તો મિથ્યાત્વનો અભાવ છે; અને સમ્યક્રચારિત્રમાં અવ્રતનો, પ્રમાદનો, કષાયનો તથા યોગનો અભાવ છે. એ રીતે બંધના પાંચેય કારણોના અભાવરૂપ મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન- સમ્યક્રચારિત્રમાં અવ્રતાદિનો અભાવ છે-એ તો બરાબર, પણ તેમાં યોગનો અભાવ કહ્યો તે કઈ રીતે? યોગ તો બારમે ને તેરમે ગુણસ્થાને પણ હોય છે?
ઉત્તરઃ- વીતરાગભાવરૂપ ચારિત્ર બારમાં ગુણસ્થાને પૂરું થઈ ગયું છે તે બરાબર, પરંતુ હજી આત્મદ્રવ્યના બધાય ગુણો પોતપોતાના સ્વરૂપમાં સ્થિત થયા નથી તે અપેક્ષાએ આત્મદ્રવ્યનું ચારિત્ર હજી પૂરું થયું નથી. આત્મદ્રવ્યના બધા ગુણોની સ્વરૂપસ્થિતિ ચૌદમાં ગુણસ્થાનના છેલ્લે સમયે ગણવામાં આવી છે, ને ત્યારે જ મોક્ષમાર્ગની પૂર્ણતા ગણવામાં આવી છે; તેના અનંતર સમયે મોક્ષ થાય છે. જો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ સંપૂર્ણ મોક્ષમાર્ગ બારમા ગુણસ્થાને જ પૂરો થઈ ગયો હોય તો તરત જ મોક્ષ કેમ ન થઈ જાય ? માટે આત્માના બધાય ગુણોની વિવેક્ષાથી જોતાં મોક્ષમાર્ગની પૂર્ણતા ચૌદમાં ગુણસ્થાનના અંત સમયે થાય છે. અને તેમાં બંધના કારણરૂપ યોગનો પણ અભાવ થઈ ગયેલો છે. આ રીતે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:' એ સૂત્ર નિબંધ છે. * કોઈવાર એમ કહે કે, દ્રવ્યાર્થિકનયથી આત્માને બંધ-મોક્ષ નથી. * કોઈવાર કહ્યું કે, રત્નત્રયપરિણત આત્મા જ મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહ્યું કે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. કોઈવાર કહ્યું કે, જ્ઞાન ને ક્રિયા તે મોક્ષમાર્ગ છે.
કોઈવાર કહે કે, ચાર પ્રકારની આરાધના તે મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, ઉત્તમક્ષમાદિ દશધર્મો મોક્ષનું કારણ છે.
કોઈવાર કહે કે, શુદ્ધઆત્માની અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. * કોઈવાર કહે કે, જ્ઞાનની અનુભૂતિ તે જ મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, વીતરાગતા તે જ મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, શુદ્ધોપયોગ તે મોક્ષમાર્ગ છે. * કોઈવાર કહે કે, સ્વદ્રવ્યનો આશ્રય તે મોક્ષમાર્ગ છે.
*
*
*
-પણ એ બધાય પ્રકારમાં એક જ તાત્પર્ય છે, ક્યાંય પરસ્પર વિરુદ્ધતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk