________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૧૧ થાય એમ ન સમજવું, પણ રાગનો અભાવ વધતો જાય, એમ સમજવું. રાગની ધારા વધીવધીને કાંઈ અનુભવ નથી થતો, પણ વિશુદ્ધતાવડે તીવ્ર રાગનો જેમ અભાવ કર્યો, તેમ આગળ વધીને રાગનો તદ્દન અભાવ કરીને (રાગથી ભિન્ન ચૈતન્યને અનુભવમાં લઈને ) ભેદજ્ઞાન કરતાં મોક્ષમાર્ગરૂપ શુદ્ધતા પ્રગટે છે. એને જ વિશુદ્ધતાની ઊર્ધ્વતા થઈ કહેવાય છે. અને તે જ શુદ્ધતા વધી વધીને કેવળજ્ઞાનને તથા યથાખ્યાતચારિત્રને સાધે છે. જાત વિના ભાત પડે નહિ, તેમ સમ્યગ્દર્શન વગર શુદ્ધતાની ભાત આત્મામાં પડે નહિ. સમ્યગ્દર્શન પહેલાંની જે ઊર્ધ્વતા કહી તેનાથી મોક્ષમાર્ગનો લાભ થતો નથી.
અહા, સ્વાનુભવની ચર્ચા કરે તેને પણ ધન્ય કહ્યો, તો જેઓ સ્વાનુભવરૂપે સાક્ષાત્ પરિણમ્યા છે-સ્વયં અધ્યાત્મરૂપ બન્યા છે એવા સંતોના મહિમાની શી વાત! અને જેને એવા સંતોનો સાક્ષાત્ સમાગમ મળ્યો. એમનાં ચરણોની સાક્ષાત્ ઉપાસના મળી અને એમની વાણીનું સાક્ષાત્ શ્રવણ મળ્યું, એનાં કેવા ધન્ય ભાગ્ય !!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk