________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રંથિભેદ થાય ત્યારે જ મોક્ષમાર્ગ થાય;
શુભમાં એવું જોર નથી કે મોક્ષને સાથે સંતો પ્રતાપસે સવ અવસર મા ચૂવા ; હે જીવ! તું જાગ!
"વિશુદ્ધતા સદા કાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિભેદ વિના વિશુદ્ધતાનું જોર ચાલતું નથીને? જેમ કોઈ પુરુષ નદીમાં ડુબકી મારે,
જ્યારે ફરી ઊછળે ત્યારે દૈવયોગે તે પુરુષની ઉપર નૌકા આવી જાય તો, યાપિ તે પુરુષ તરવૈયો છે તો પણ કેવી રીતે નીકળે? તેનું જોર ચાલે નહિ; ઘણો કલબલ કરે પણ તેને વશ કાંઈ નથી. તેમ વિશુદ્ધતાની પણ ઊર્ધ્વતા જાણવી, તેથી તેને ગર્ભિતશુદ્ધતા કહી. તે ગર્ભિતશુદ્ધતા ગ્રંથિભેદ થતાં મોક્ષમાર્ગ તરફ ચાલી, પોતાના સ્વભાવ વડે વર્ધમાનરૂપ થઈ ત્યારે પૂર્ણ યથાખ્યાત પ્રગટ કહેવાયું. વિશુદ્ધતાની જે ઊર્ધ્વતા તે જ તેની શુદ્ધતા
છે.”
નિગોદરૂપી મહાસમુદ્રમાંથી શુભ પરિણામના બળે જીવ ઊંચે તો આવ્યો, પણ જો સમ્યગ્દર્શન વડે મોહની ગાંઠને તોડી નાંખે તો જ મોક્ષમાર્ગ પામીને સંસારથી તરે; એટલે એની ગર્ભિતશુદ્ધતા પ્રગટ શુદ્ધતારૂપ થઈને મોક્ષમાર્ગ તરફ ચાલે. ગ્રંથિભેદ વિના એકલી ગર્ભિતશુદ્ધતામાં મોક્ષમાર્ગે જવાની તાકાત નથી. નિગોદમાં અનંતાનંત જીવો છે, ને નિગોદની બહાર તો અનંતમા ભાગના જીવો છે. અનાદિથી સંસારસમુદ્રમાં ડુબેલો જીવ ચારિત્રનું કંઈક ઉપાદાન જાગતાં માંડ માંડ કંઈક ઊંચે આવ્યો ને જો ભેદજ્ઞાન કરે તો તરી જાય એવો અવસર આવ્યો, ત્યારે જો તે ભેદજ્ઞાનનો ઉદ્યમ ન કરે ને રાગમાં જ લીન થઈને અટકી જાય તો તે સંસારથી બહાર કઈ રીતે નીકળે? વિશુદ્ધિ સુધી તે આવ્યો પણ ગ્રંથિભેદ વિના એનું કાંઈ જોર ચાલી શકતું નથી. જાઓ, કર્મ પાસે જોર ન ચાલ્યું માટે રખડયો એમ નથી કહેતાં,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk