SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૨૦૧ તેનું સમાધાનઃ- સાંભળ ભાઈ! એ તો તું સાચો; વિશુદ્ધતાથી શુભબંધ અને સંકલેશતાથી અશુભબંધ-એ તો અમે પણ માન્યું. પરંતુ એમાં બીજો ભેદ છે તે સાંભળઃ અશુભપદ્ધત્તિ એ અધોગતિનું પરિણમન છે તથા શુભપદ્ધત્તિ એ ઊર્ધ્વગતિનું પરિણમન છે. હવે અધોરૂપ સંસાર ને ઊર્ધ્વરૂપ મોક્ષસ્થાન-એમ સ્વીકારી, તેમાં શુદ્ધતા આવી એમ માન્યુંમાન્યું, એમાં ધોખો ( સંદેહ) નથી. [ માનિ માનિ યામેં ધોવો નાહીં હૈ]” જ્ઞાનનું જાણપણું તે ક્ષયોપશમભાવરૂપ છે, ને તેનાથી નિર્જરા થાય છે; ચારિત્રમાં તીવ્રસંકલેશપરિણામ વખતે પાપબંધન થાય છે ને તેથી અધોગતિરૂપ પરિણમન થાય છે એટલે કે મોક્ષમાર્ગથી દૂર થતો જાય છે, ને મંદકષાયરૂપ વિશુદ્ધપરિણામ વખતે શુભબંધ થાય છે, ને ઊર્ધ્વગતિરૂપ પરિણમન થાય છે. તે ઉપરાંત અહીં એમ કહેવું છે કે સંકલેશ વખતે ચારિત્રમાં જે તીવ્ર અશુદ્ધતા હતી, મંદકષાય-શુભરાગ-વખતે તે અશુદ્ધતા કંઈક મંદ થઈ, તેટલી વિશુદ્ધિ ગણી, ને એ વિશુદ્ધિના બળે નિર્જરા કરીને જીવ ઊંચો આવે છે એમ કહ્યું. જો કે આ નિર્જરા કાંઈ મોક્ષમાર્ગ નથી, પણ તેના વડેય જીવ કંઈક ઊંચો આવ્યો-ને આગળ વધે તો મોક્ષમાર્ગ પણ પામે એવો અવકાશ થયો તે અહીં બતાવવું છે. સંપૂર્ણ ઊર્ધ્વતા તે મોક્ષ છે. નિગોદ એ તદ્દન અધોગતિ છે. હવે ચારિત્રના વિશુદ્ધપરિણામના બળે જીવ થોડીક ઊર્ધ્વતા પામ્યો, ને ઊર્ધ્વતામાં આગળ વધીને જો ગ્રંથિભેદ વડે શુદ્ધતા પ્રગટ કરે તો મોક્ષમાર્ગ પણ પામે-આ અપેક્ષાએ વિશુદ્ધતામાં ઊર્ધ્વતા ગણી ને તેનાથી નિર્જરા પણ ગણી. વિશુદ્ધતામાં જે ઊર્ધ્વતા અથવા ગર્ભિતશુદ્ધતા કહી તે તો ત્યાંથી આગળ વધીને વ્યક્તશુદ્ધતા પ્રગટ કરવા માટે છે, કાંઈ તેમાં જ અટકી જવા માટે નથી. વિશુદ્ધતામાં ( એટલે કે મંદકષાયમાં) જ અટકી જાય તો મોક્ષમાર્ગ થાય નહિ. ગ્રંથિભેદ વગર વિશુદ્ધતાનું જોર ચાલતું નથી, –મોક્ષમાર્ગ થતો નથી. પહેલાં સંકલેશપરિણામ વખતે તો ચારિત્રપરિણામ તીવ્ર ડામાડોળ ને અસ્થિર હતા, તત્ત્વવિચાર કરવા જેટલી પણ સ્થિરતા તેમાં ન હતી; શુભ વખતે કષાયો મંદ પડતાં ચારિત્રપરિણામ કંઈક સ્થિર થયા, વિચાર શક્તિ જાગી; હવે આગળ વધીને ગ્રંથીભેદ વડે શુદ્ધસ્વરૂપાચરણ પ્રગટ કરે એટલે યથાખ્યાતચારિત્રનો અંશ અને મોક્ષમાર્ગ થાય. આમ પરિણામની આવી ઊર્ધ્વતા કરવા માટે વિશુદ્ધતામાં શુદ્ધતા માનવી; એમાં કાંઈ ધોખો Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy