________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ કયારે ખૂલે? હે જીવ ! આટલે સુધી આવ્યો... હવે મોક્ષમાર્ગી થા.
અહીં એક જ દ્રવ્યને આશ્રિત ઉપાદાન-નિમિત્ત બતાવતાં દષ્ટાંતરૂપે જીવના જ્ઞાન ને ચારિત્રના સ્વતંત્ર પરિણામ બતાવ્યા. તેમાંથી ચારિત્રપરિણામની કંઈક વિશુદ્ધિ (એટલે કે મંદકષાય)ના બળે જીવ ત્યાંથી ઊંચો ચડીને મનુષ્ય થયો. એટલે કે ગર્ભિતશુદ્ધતા શુદ્ધિ આવ્યો. હવે ત્યાંથી આગળ વધીને વ્યક્ત શુદ્ધતા કેમ થાય, ને તે મોક્ષમાર્ગ તરફ કેમ જાય–તેની વાત કરે છેઃ
જાણપણું જ્ઞાનનું, અને વિશુદ્ધતા ચારિત્રની. એ બંને મોક્ષમાર્ગાનુસારી છે તેથી બંનેમાં વિશુદ્ધતા માનવી; પરંતુ વિશેષ એટલું કે તે ગર્ભિત શુદ્ધતા છે. પ્રગટ શુદ્ધતા નથી એ બંને ગુણની ગર્ભિતશુદ્ધતા જ્યાંસુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાંસુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પંરતુ એ બંને ગુણોની ગર્ભિતશુદ્ધતા ઊર્ધ્વતા અવશ્ય કરે. જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બંનેની શાખા ફૂટે અને ત્યારે એ બંને ગુણ ધારાપ્રવાહરૂપે મોક્ષમાર્ગ તરફ ચાલે. જ્ઞાનગુણની શુદ્ધતા વડે જ્ઞાનગુણ નિર્મળ થાય તથા ચારિત્રગુણની શુદ્ધતા વડે ચારિત્રગુણ નિર્મળ થાય. એ (જ્ઞાન) તો કેવળજ્ઞાનનો અંકુર છે, અને ચારિત્ર તે યથાખ્યાતચારિત્રનો અંકુર છે.”
જાઓ, સમ્યગ્દર્શન પહેલાંના જ્ઞાન-ચારિત્રના વિકાસમાં ગર્ભિતશુદ્ધતા કીધી, પણ તે પોતે મોક્ષમાર્ગરૂપ નથી, મોક્ષમાર્ગના અંકુરા તો સમ્યગ્દર્શન થાય ત્યારે જ ફૂટે છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન-ચારિત્ર બંનેની ધારા મોક્ષમાર્ગ તરફ ચાલે છે. જ્ઞાનમાંથી તો કેવળજ્ઞાનના અંકુરા ફૂટ્યા ને ચારિત્રમાંથી યથાખ્યાતચારિત્રના અંકુર ફૂટયા. –આમ ગ્રંથિભેદ થતાં મોક્ષમાર્ગ શરૂ થયો. પહેલાં વિશુદ્ધતાથી જે જ્ઞાન ને ચારિત્ર ઊંચા આવ્યા હતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk