SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થ વચનિકા : ૧૫૯ અસહાયપણે (અન્યની સહાય વગર) સધાય છે ત્યાં નિમિત્તે તેમાં શું કરે છે?કંઈ જ નહિ; નિમિત્તે કાંઈ સહાય કરી છે એમ બનતું નથી. એટલે જેમ બાહ્યનિમિત્તો સહાયકારી નથી તેમ મોક્ષમાર્ગમાં શુભરાગરૂપ નિમિત્ત પણ સહાયકારી નથી, તે પણ મોક્ષમાર્ગમાં અકિંચિત્કર છે–એ વાત ખાસ સમજવી જરૂરી છે. પ્રશ્ન - જીવને શુદ્ધતા-અશુદ્ધતામાં પરદ્રવ્ય નિમિત્ત છે કે નથી ? તે નિમિત્ત હોય છે? -ના. તો શું નિમિત્ત ઉપાદેય છે? -ના. નિમિત્ત હેય નથી તેમ જ ઉપાદેય નથી, નિમિત્ત તો શેય છે. પદ્રવ્યરૂપ જે નિમિત્ત છે તે તો હેય-ઉપાદેય નથી; તે ઉપરાંત અહીં તો રાગાદિરૂપ અશુદ્ધ વ્યવહારને પણ નિમિત્તમાં નાખ્યો છે, ને શુદ્ધ સદભુત વ્યવહારને જ ધર્મીના વ્યવહારમાં ગણ્યો છે. એટલે અહીં શુભરાગરૂપ જે નિમિત્તે કહ્યું છે તે હેય છે; કેમકે તે પોતાનો અશુદ્ધભાવ છે તેથી તે હેય છે. તેના વડે મોક્ષમાર્ગ સધાતો નથી. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર મોક્ષમાર્ગ સધાય છે. અજ્ઞાની હેય-mય ઉપાદેયને બરાબર ઓળખતો નથી એટલે હેયજ્ઞય-ઉપાદેયની શક્તિ તેનામાં નથી; ધર્મી જીવ યરૂપ પરભાવોને હેય જાણે છે, ઉપાદેયરૂપ પોતાના શુદ્ધ દ્રવ્ય-પર્યાયોને ઉપાદેય જાણે છે અને શેયરૂપ સમસ્ત પદાર્થોને શેયરૂપ જાણે છે, એટલે હેય-શય-ઉપાદેયની શક્તિ તેને પ્રગટી છે. જ્ઞાતાની આ શક્તિ ગુણસ્થાનઅનુસાર વધતી જાય છે. જેમ કે ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયનો ત્યાગ છે ને સમ્યકત્વ તથા સ્વરૂપાચરણરૂપ શુદ્ધિ પ્રગટી છે, તથા સ્વયને જાણું છે. પાંચમાં ગુણસ્થાને તેને અનંતાનુબંધી તેમ જ અપ્રત્યાખ્યાની એ બે કષાયનો ત્યાગ થયો છે તથા સ્વરૂપાચરણ ઉપરાંત દેશસંયમચારિત્રની શુદ્ધિ પ્રગટી છે, એટલી હેય-ઉપાદેયશક્તિ વધી છે, અને સ્વયને પકડવાની શક્તિ પણ વધી છે. - છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ત્રણ કષાયોના ત્યાગ જેટલી શક્તિ પ્રગટી છે ને સંયમદશાને યોગ્ય શુદ્ધતા વધી છે. એ રીતે ત્યાં હેયઉપાદેયશક્તિ વધી છે, અને સ્વયને પકડવાની શક્તિ પણ ખૂબ વધી છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy