________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૧૫ ગથી થયેલી જે મનુષ્યાદિ પર્યાય તે ખરેખર આત્મસ્વરૂપ નથી પણ અજ્ઞાની તો “હું જ મનુષ્ય છું' એમ માનીને જ વર્તે છે, તેને પ્રવચનસારમાં આચાર્ય દેવે વ્યવહારમૂઢ-પરસમય કહ્યો છે; અહીં પણ તેને પરસ્વરૂપમાં લીન એટલે કે પરસમય કહ્યો છે. ભાઈ, “મનુષ્ય-વ્યવહાર” એ ખરેખર તારો વ્યવહાર નથી, પણ શુદ્ધ ચેતનાના વિલાસરૂપ જે આત્મવ્યવહાર તે જ તારો વ્યવહાર છે, તારી શુદ્ધચેતના પર્યાય તે જ તારો વ્યવહાર છે. તારો વ્યવહાર તારામાં હોય કે પર દ્રવ્યમાં હોય ? તારો વ્યવહાર તારામાં, ને પરનો વ્યવહાર પરમાં.
પ્રશ્નઃ- વ્યવહારને પરાશ્રિત કહ્યો છે ને?
ઉત્તર:- અહીં અભેદ તે નિશ્ચય ને ભેદ તે વ્યવહાર-એ વિવક્ષા છે. અને ભેદના વિચારમાં પરનું અવલંબન છે તે અપેક્ષાએ તેને પરાશ્રિત કહી શકાય. પણ જે ભેદરૂપ ભાવ (અર્થાત્ પર્યાય) છે તે તો પોતામાં જ છે, તે કાંઈ પરમાં નથી.
આત્મા તો ચેતના સ્વરૂપ છે, આત્મા કાંઈ મનુષ્યાદિ દેહરૂપ નથી. મનુષ્યવ્યવહાર” તો મિથ્યાષ્ટિનો છે, એટલે કે ચેતના સ્વરૂપને ભૂલીને હું મનુષ્ય જ છું” એવી દેબુદ્ધિથી અજ્ઞાની પ્રવર્તે છે. હું મનુષ્ય જ છું, મારું જ આ શરીર છે-એમ અહંકાર-મમકાર વડે ઠગતા થકા અવિચલિતચેતના-વિલાસમાત્ર આત્મવ્યવહારથી તે ચૂત થાય છે, અને સમસ્ત ક્રિયાકલાપને જેમાં છાતીસરસો ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને તે રાગદ્વેષી થાય છે. આ રીતે અજ્ઞાની પદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે ખરેખર પરસમય થાય છે. (જુઓ પ્રવચનસાર ગા. ૯૪ ટીકા) લોકોમાં માનવધર્મના નામે અનેક ગોટા ચાલે છે; અહીં સંતો કહે છે કે “હું મનુષ્ય છું” એવી મિથ્યાબુદ્ધિ તે અધર્મ છે. ભાઈ, તું તો આત્મા છો, તારો વિલાસ ચેતનારૂપ છે. જડ દેહની ક્રિયામાં સારો વ્યવહાર નથી, ને રાગાદિ અશુદ્ધ-પરિણતિ તે પણ ખરેખર તારો વ્યવહાર નથી, તે તો અશુદ્ધ વ્યવહાર છે. તારો શુદ્ધવ્યવહાર તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધપરિણતિમાં છે, શુદ્ધચેતનાપરિણતિ તે જ તારો આત્મવ્યવહાર છે. અજ્ઞાનીને અશુદ્ધપરિણતિ છે તે તેનો અશુદ્ધવ્યવહાર છે.
અરે, તારો વ્યવહાર શું ને તારો નિશ્ચય શું, તેને પણ તું ન જાણ, તારા ભાવોને ય તું ન ઓળખ, તો કઈ રીતે તું ધર્મ કરીશ? માટે તું તારા ભાવોને ઓળખ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk