________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારી જીવની ત્રણ અવસ્થાઃ અશુદ્ધ, મિશ્ર ને શુદ્ધ. તેમાં નિશ્ચય
વ્યવહાર
હુવે જીવદ્રવ્યની અનંતી અવસ્થા; તેમાં ત્રણ અવસ્થા મુખ્ય
સ્થાપી
* એક અશુદ્ધ અવસ્થા, * બીજી શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રાવસ્થા, * તથા ત્રીજી શુદ્ધઅવસ્થા.
એ ત્રણે અવસ્થા સંસારી જીવદ્રવ્યની જાણવી. સંસારાતીત સિદ્ધને અનવસ્થિતરૂપ કહીએ છીએ.”
આ પ્રમાણે મિથ્યાદષ્ટિથી માંડીને ચૌદમાં ગુણસ્થાનના છેડા સુધીના બધાય સંસારી જીવોની અવસ્થાના મુખ્ય પ્રકાર ત્રણ કહ્યા, તેમાં અનંતી અવસ્થા સમાઈ જાય છે. અહીં જીવની સંસાર-અવસ્થાની વાત છે, એટલે સંસારાતીત એવા સિદ્ધભગવંતોની વાત આમાં ન લેવી; સિદ્ધભગવંતો તો સંસાર-અવસ્થાથી પાર થઈ ગયા છે તેથી અહીં તેઓને ‘અનવસ્થિત' કહીએ છીએ. સિદ્ધભગવાનને અશુદ્ધતા કે કર્મનો સંયોગ નથી તેથી તેમને તે પ્રકારનો વ્યવહાર નથી, એટલે તેમને “વ્યવહારાતીત' કહેશે. અહીં સંસારી જીવની વાત છે, તેની અવસ્થાના સામાન્યપણે ત્રણ પ્રકાર કહ્યા.
“હવે તે ત્રણે અવસ્થા સંબંધી વિચાર
* એક અશુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્ય, * બીજાં મિશ્ર-નિશ્ચયાત્મક દ્રવ્ય,
* અને ત્રીજું શુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્ય છે. * અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર છે, * મિશ્ર–નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્રવ્યવહાર છે; * તથા શુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી શુદ્ધવ્યવહાર છે.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk