________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્મી
જીવ....
ધર્મી જીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન થાય છે... ચૈતન્યના અનુભવની ખુમારી એના ચિત્તને બીજે કયાંય લાગવા દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત-તૃપ્ત છે; ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજાં કાંઈ કરવાનું રહ્યું નથી... હું જ જ્ઞાન-દર્શન-ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ વૃદ્ધિગત જ છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું ચૈતન્યમાં બીજા કોઈની ચિંતા નથી. એકત્વ ચૈતન્યના ચિંતનમાં પરમ સુખ છે. સર્વ સુખ-સંપત્તિનો નિધાન એવો હું છું. મારા સ્વરૂપને દેખાદેખીને જો કે પરમ તૃપ્તિ અનુભવાય છે, તો પણ એ અનુભવની કદી તૃપ્તિ થતી નથી, –એમાંથી બહાર આવવાની વૃત્તિ થતી નથી. સ્વરૂપનો બધો મહિમા સ્વાનુભવમાં સમાય છે. –આવી જેની અનુભવદશા. તે જીવ ધર્મી .
ताको वन्दना हमारी है।
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk