________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૯૩ સાધર્મીને મળવાની અને તેમની સાથે સ્વાનુભવની ચર્ચા કરવાની પોતાને ભાવના તો ઘણી છે, પણ સેંકડો ગાઉનું અંતર તેથી સંયોગ બનવો તે તો ઉદયાધીન છે. માટે કહે છે કે સંયોગ તો બનો કે ન બનો, એની ભાવના કરતાં ચૈતન્યની ભાવનામાં સદાય રહેવું. ચૈતન્યની ભાવનામાં ક્ષેત્રનું અંતર નડતું નથી. ચૈતન્યની ભાવના કરવી, તેની પ્રાપ્તિ માટે, તેના અનુભવ માટે સદાય ઉદ્યમ કરવો એ જ ઉત્તમ છે. વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મા છે. ગમે ત્યારે, જ્યારે જાઓ ત્યારે પોતાનો આત્મસ્વભાવ અધ્યાત્મતત્ત્વ છે, તેના સ્વાનુભવના ઉધમમાં સદાય વર્તવું.
લોકોને પુણક્રિયાના રસ આડ અંદરનું અધ્યાત્મતત્ત્વ ગુપ્ત રહી ગયું છે, તે જિનશાસનમાં જ્ઞાની-સંતોએ ખુલ્લું કરીને દેખાડ્યું છે. માટે આવા અધ્યાત્મતત્ત્વની રુચિ-ઓળખાણ કરીને તેની ભાવનામાં નિરંતર રહેવું. ખરો જૈનમાર્ગ તો તેમાં જ છે. રાગમાં ખરો જૈનધર્મ નથી. જૈનમાર્ગ કહો કે મોક્ષમાર્ગ કહો તે રાગરૂપ નથી પણ વીતરાગી અધ્યાત્મતત્ત્વરૂપ છે. આત્માના સ્વાનુભવમાં જૈનશાસનનું બધું રહસ્ય સમાય છે. સાધર્મી સાથે આવા સ્વાનુભવની, તેના ઉપાયની, આવા સ્વાનુભવને સંતો કઈ રીતે પામ્યા તેની, ને એ સંતોની દશા કેવી હોય તેની, તથા પોતાને કઈ રીતે એવો અનુભવ થાય તેની ચર્ચા વાર્તા, તેની પ્રાપ્તિ માટે ઉધમ, તથા તેનું ચિંતન-અનુભવન કરવા જેવું છે, ને નિજસ્વરૂપમાં મગ્ન રહેવા જેવું છે. નિજસ્વરૂપનું ચિંતન અથવા એના પ્રતિપાદક ઉત્તમ અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરવામાં તત્પર રહેવું સમયસારની ટીકા વગેરે શાસ્ત્રોમાં સ્વાનુભવની ઉત્તમ ચર્ચા છે; તથા આગમ સંબંધી ચર્ચા ગોમટ્ટસાર વગેરેમાં છે. આવા ગ્રંથોથી જેટલી વાત જાણી છે તે બધી કાંઈ પત્રમાં લખવામાં આવી શકે નહિ; તેથી ભલામણ કરે છે કે ભાઈશ્રી, એ અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો તમે પણ અભ્યાસ રાખજો. વળી, માત્ર શાસ્ત્રઅભ્યાસમાં નથી અટકવાનું પણ તેનું પ્રયોજન તો સ્વાનુભવ કરવાનું છે, તેથી લખે છે કે નિજસ્વરૂપમાં મગ્ન રહેજો. પહેલાં લખ્યું હતું કે ચિદાનંદઘનના અનુભવથી તમને સહજાનંદની વૃદ્ધિ ચાહું છું અને છેલ્લે લખે છે કે નિજસ્વરૂપમાં મગ્ન રહેજો. વળી પોતાને તત્ત્વના અભ્યાસનો વિશેષ પ્રેમ છે તેથી લખે છે કે તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો તે મને લખી મોકલશો. સાધર્મીઓને તો પરસ્પર ધર્મસ્નેહપૂર્વક આવી ધર્મચર્ચા જ જોઈએ. સાધર્મી સાથે ચર્ચા-વાર્તા પ્રશ્નઉત્તર કરતાં ઘણી સ્પષ્ટતા થાય છે, ને કોઈ સૂક્ષ્મ ફેર હોય તો તે ખ્યાલમાં આવી જાય છે ને જ્ઞાનની વધુ સ્પષ્ટતા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk