________________
જ્યાં સુધી તમારા હૃદયમાં "દુ૫-એ અસંભવ છે" એમ નહિ સમજાય ત્યાં સુધી,હું પૂર્વના મહાત્માઓ ની કથાઓ ના વાક્યોથી તમને સમજાવ્યા કરીશ. અને જયારે તમે "તત્વ" માં વિશ્રાંતિ પામી ને-વ્યવહાર કર્યા કરશો-ત્યારે મન ની વૃત્તિઓ તમને વીંધી શકશે નહિ. એ આત્મા એ એક અને અદ્વિતીય જ છે, તેમાં બીજી કોઈ કલ્પના છે જ નહિ, તે છતાં એ આત્મામાં જે રીતે જગત ઉત્પન્ન થયું છે તે-રીત -હું તમને કહી સંભળાવીશ.
(૧૨) અધ્યારોપ (આરોપણ) અને અપવાદ
વશિષ્ઠ કહે છે કેએ શાંત અને અત્યંત પવિત્ર "પદ" માંથી આ "જગત" જે પ્રકારે ઉત્પન્ન થયું છે તે તમે સાંભળો. જેમ પ્રત્યેક જીવનું પોતાનું શાંત-સ્વ-રૂપ જ "સ્વપ્ન"ની પેઠે વિવર્ત પામે છે. તેમ,સઘળા જીવો નું એકઠું -શાંત-સ્વ-રૂપ (પર-બ્રહ્મ) જ "સૃષ્ટિ" ની પેઠે વિવર્ત પામે છે. (વિવર્ત =મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું)
એ "સર્વ-સ્વ-રૂપ" એવા "પર-બ્રહ્મ" નો "જગત-રૂપે" વિવર્ત થવા નો જે "મ" છે તે તમે સાંભળો.
આ સઘળું દય-જગત -એ-સર્વદા અને સ્વાભાવિક રીતેતે "અનંત-પ્રકાશ-રૂપ અને ચૈતન્યમણિ" ની સત્તા-રૂપ જ છે. અને તે જગત એ પોતાના "સ્વ-રૂપ" માં જ કંઈક "દૃશ્ય-પણા" ને પામે છે.
"અહંકાર ના અધ્યાસ વગરનું" અને "આકાશ કરતાં પણ સૂક્ષ્મતા વાળું " એ "શુદ્ધ પરમ-તત્વ" (બ્રહ્મ) એ ભવિષ્યમાં થનારાં નામ-રૂપોનાં અનુસંધાનો થી, (૧)-- "પ્રથમ"કંઈક "કલ્પના-વાળું" થાય છે, શાસ્ત્રો એ "કલ્પના" ને "ઇક્ષણ" કહે છે.
"ઇક્ષણ-વાળી" (કલ્પના વાળી) એ "પરમ-સત્તા" એ પોતાની "ઇક્ષણ-રૂપ-વૃત્તિ" માં પ્રગટ થયેલ (૨)---"ચૈતન્ય" ને લીધે "વાણીના વ્યવહાર ની કંઈક યોગ્યતા મેળવે છે" (બોલી શકે તેવી કે નાદ??) અને-તેથી તે "ઈશ્વર" એવું યોગ્ય નામ ધારણ કરે છે.
પછી ઘણા કાળની (સમય ની "ભાવના" થી "ઇક્ષણ-વૃત્તિ" દૃઢ થાય છે. એટલેએ જ મૂળ "પરમ-સત્તા" (બ્રહ્મ) એ "સૂક્ષ્મ-પ્રપંચ-પણા" પકડે છે -અનેપોતાના "પર-બ્રહ્મ-પણા" ને વિસ્મરણ થી છોડી દે છે (ભૂલી જાય છે, અને આમ, (૩)---ત્યારે તે "પરમ-સત્તા" ભવિષ્યમાં "જીવ અને હિરણ્યગર્ભ" નામ વાળી થાય છે.
આ રીતે "પરમ-સત્તા" (કે બ્રહ્મ-સત્તા) જ આ પ્રમાણે ની ભાવનાઓ ને લીધે"સંસાર" (જગત) ની સ્થિતિ" માં તત્પર થાય છે. આ "પરમ-સત્તા" નો સ્વભાવ જ આવો હોવાથીજેમ,રજ્જુમાં સર્પ-ભાવ ઉત્પન્ન થાય છે. તેમ તે "પરમસત્તા" માં "જીવ-હિરણ્યગર્ભ" નો અભાવ ઉત્પન્ન થાય છે.
હવે એ "પરમ-સત્તા" માં જેવો "જીવ" ભાવ ઉત્પન્ન થાય છે(૪).---એટલે તરત જ "શન્ય-રૂપ" "આકાશ-પણું"ઉદય પામે છે. એ આકાશ-એ "શબ્દ" વગેરે "તન્માત્રાઓ" ના બીજ-રૂપ છે-અને ભવિષ્યના નામોને પ્રકાશ કરનાર છે (૫).---તે પછી કાળ (સમય) ની સત્તા ની સાથે "અહંકાર" નો ઉદય થાય છે. અને તે ભવિષ્યમાં થવાની "જગત ની સ્થિતિ" ના "બીજ-રૂપ" છે.