________________
આ શૂન્ય-રૂપ,ભ્રાંતિ-રૂપ જગત મૂળે ઉત્પન્ન થયું જ નથી છતાં દેખાય છે-એ વિષે-હું આ પ્રકરણમાં કહું છું.
સઘળા પ્રકારો વાળું આ જે સ્થાવર-જંગમ જગત જોવામાં આવે છે તે-સઘળું,જયારે ઇન્દ્ર-વગેરે ને પણ અંતર્ધાન કરી દેનારો મહાપ્રલય આવે છે ત્યારે ક્યાંક પણ જતું રહે છે, નાશ પામે છે,અસત થઇ જાય છે, અદૃશ્ય થી જાય છે, અને એ પ્રમાણે જગતનો પ્રલય થાય છે, ત્યારે માત્ર અનિર્વચનીય એવું સત બાકી રહે છે. જે સત-એ સ્થિર,ગંભીર,તપ અને તેજ થી વિચક્ષણ અને મુખ થી વર્ણન કરી શકાય નહિ તેવું રૂપ વગરનું છે.
તે પૂર્ણ કરતાં પણ પૂર્ણ છે, તેને નથી સત કહેવાતું કે નથી અસતુ. તે ઉત્પત્તિ વાળું નથી કે ઉત્પત્તિ રૂપ પણ નથી.તે ચૈતન્ય-માત્ર છે,બુદ્ધિ-તત્વ થી ભિન્ન છે.અંનત છે,આદિ-અંત-અને મધ્ય થી ને કારણ રહિત છે.
તે સત- એ-જગત ની વ્યકત-અવસ્થા અને અવ્યક્ત અવસ્થા માં રહેનાર "પરમાત્મા" છે. પોતાને નાક, કાન, જીભ,નેત્ર કે ચામડી ના હોવા છતાં-તે સર્વદેશ અને કાળમાં સાંભળે છે, સ્વાદ લે છે, સુંઘે છે, સ્પર્શ કરે છે અને જોયા કરે છે. એમના પ્રકાશ થી જ સઘળું જગત પ્રકાશે છે.
એમનું સ્વરૂપ જ "અજ્ઞાન" ના સમયમાં સૃષ્ટિ-રૂપે વિચિત્ર લાગે છે અને જ્ઞાનમાં આદિ-અંત વિનાની લાગે છે. એ દેવ (પરમાત્મા) આકાશની પેઠે નિર્લેપ રહીને પોતાના સ્વ-રૂપની સત્તાથી પોતાના સંત-રૂપ લાગતા જગતને જોયા કરે છે.સત-રૂપ પરમાત્મા નું બીજું કોઈ "કારણ " હોવાની કલ્પના કરવી - એ સસલાના શિંગડા ની કલ્પના કર્યા જેવું છે.
જેમ તરંગોનો સમૂહ એ જળ ના "કાર્ય-રૂપ" છે,તેમ આ જગત પણ તે પરમાત્મા ના કાર્ય-રૂપ છે. નિરંતર પ્રકાશતા અને ચિત્ત-રૂપી સ્થાનકોમાં રહેનારા એ "ચૈતન્ય-માત્ર -દેવ-રૂપી દીવા " ના પ્રકાશથી સઘળું બ્રહ્માંડ પ્રકાશયા કરે છે. એ દેવ (બ્રહ્મ) ના હોય તો સૂર્ય વગેરે પ્રકાશો-અંધકાર સમાન થઇ પડે છે. એ દેવ જયારે "મન"નું રૂપ ધારણ કરે છે, ત્યારે તેમાં આ જગત દેખાય છે અને જયારે તેને "મન-રૂપઃપણા" ને છોડી દે છે.ત્યારે તેમાં આ જગત દેખાતું નથી.
જગતની ઉત્પત્તિ અને પ્રલય-પણ કહેવા પૂરતાં જ તે દેવથી જુદાં છે,પણ વાસ્તવિક રીતે તે જુદાં નથી. કારણકે એ દેવ ની સત્તા એવી અખંડિત છે કે તેમાં બીજા કોઈની સત્તા સમાય તેમ નથી. એ દેવ -જ્ઞાની પુરુષોમાં પ્રકાશમાન અને અજ્ઞાની પુરુષોમાં અપ્રકાશિત છે,જયારેમુક્ત-પુરુષોમાં તે પ્રકાશિત પણ નથી અપ્રકાશિત પણ નથી.
એ દેવ ચલન-રહિત છે, કલ્યાણ-સ્વરૂપ છે,અને શાંત-સ્વરૂપ છે.અને, એમનામાં જ કલ્પાયેલી અવિધ્યા (અજ્ઞાન-માયા) ના ચલન થી ત્રણ જગતની ઉત્પત્તિ થાય છે. એ એક જ દેવ (બ્રહ્મ) અધિષ્ઠાન રૂપ અને ભરપૂર સત્તાવાળા છે,અનેબ્રહ્માંડો નો નાશ થતાં પણ તે દેવ ની સત્તાનો નાશ થતો નથી.
આ દેવ પ્રત્યક્ષ હોવા છતાં ગ્રહણ કરી શકાતા નથી, એ વાણી-રહિત હોવા છતાં બોલે છે, મન-રહિત હોવા છતાં મનન કરે છે, સદા તૃપ્ત છતાં ભોગવે છે અને ક્રિયાઓ (કર્મો) ના સાધન વગરના હોવા છતાં ક્રિયાઓ કરે છે.અંગ-રહિત હોવા છતાં અંગો-વાળા છે, કોઈ માં રહેલા નથી છતાં જગતમાં વ્યાપ્ત છે.
એ દેવ ઇન્દ્રિયો ના બળ થી રહિત હોવા છતાં સઘળી ઇન્દ્રિયો ની ક્રિયાઓ તેમનાથી જ થાય છે, મનથી રહિત હોવા છતાં જગત ની આ સઘળી રચનાઓ એમના મન ના સંકલ્પ થી પેદા થઇ છે. એ દેવ ને નહિ જોવાથી -સંસાર-રૂપી સર્પ થી ડર લાગે છે, અને