________________
રામ બોલ્યા-હે પ્રભો,આ તો,વાંઝણી નો પુત્ર પર્વતો નો ભૂકો કરી નાખે, સસલાનું શિંગડું નાદ કરવા લાગે, શિલા હાથ લાંબા કરી નાચવા લાગે,રેતીમાંથી તેલ નીકળે,પથ્થરની પૂતળી ભણવા લાગે,અને ચિત્રમાં આલેખેલાં વાદળ ગર્જના કેવાં લાગે-તેવી વાત છે. (આ બધું જેમ અશક્ય છે-તેમ તે અશક્ય છે) જરા (વૃદ્ધાવસ્થા),મરણ તથા દુઃખો આદિ થી ભરપૂર અને પર્વતો-વગેરે આ જે પ્રત્યક્ષ જગત છે જ નહિએવું આપ મારી આગળ કેવી રીતે કહો છો? હે બ્રહ્મન.આ જગત નથી(જગત મિથ્યા છે, જે રીતે તે ઉત્પન્ન થયું નથી, અને જે રીતે તે છે જ નહિ, તે સઘળી રીતિઓ મને કહો એટલે મને એ વિષયો નો નિશ્ચય થાય.
વશિષ્ઠ બોલ્યા-હે, રાઘવ, મારું બોલવું કંઈ અસંબંધ (અયોગ્ય કે ખોટું) નથી,પણ યથાર્થ જ છે. આ જગત ખરી રીતે સૃષ્ટિ ના આરંભ માં થયું નથી,અને વર્તમાનકાળ માં પણ તેનો અભાવ જ છે. જેમ મન ને લીધે,સ્વપ્ન-વગેરેમાં નગર જોવામાં આવે છે, તેમ મન ને લીધે જ આ જગત જોવામાં આવે છે. જો,મિથ્યા-સ્વ-રૂપ-વાળું મન સૃષ્ટિ ના આરંભ માં ઉત્પન્ન થયું જ નથી,તો જગત કેવી રીતે ઉત્પન્ન થાય? આ વાત તમારા અનુભવ માં આવે તે રીતે હું કહું છું તે તમે સાંભળો.
ય છે. જેમ એક
ની કલ્પના કર, ઉભી થઇ છે.
મન મિથ્યા છે, છતાં તે ખરા જેવું જણાય છે. જેમ એક સ્વપ્ન બીજા સ્વપ્ન ને ઉત્પન્ન કરે,તેમ એ મન આ વિનાશી જગતને ઉત્પન્ન કરે છે. એ મન પોતાની મેળે જ-સ્થૂળ દેહની કલ્પના કરે છે. અને લાંબા કાળની ભાવના થી વૃદ્ધિ પામેલા એ "સંકલ્પ" થી જ આ ઇન્દ્રજાળ ઉભી થઇ છે. એકલું મન પોતે ચંચળ શક્તિ-વાળું છે, તેથી તે ચાલે છે, ફરક્યા કરે છે, માગે છે,ભમે છે, કૂદકા માર્યા કરે છે, ચાલ્યા કરે છે.ડૂબે છે, સંહારે છે, સંસારી-પણું ભોગવે છે અને મોક્ષ-રૂપી ઉત્કર્ષ પણ પામે છે.
(૫) જગત તથા મન નું મૂળ તત્વ
રામ બોલ્યા-હે,ભગવન,આ મન-રૂપી ભ્રાંતિમાં મૂળ કારણ શું છે? અને આ મન કેવી રીતે અને શાથી ઉત્પન્ન થયું છે? પ્રથમ તો મને મન ની ઉત્પતિના કારણ વિશે સંક્ષેપ થી કહો.જે બાકી રહે તે પાછળ થી કહેજો.
વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલયમાં સઘળું સૂક્ષ્મ-રૂપ થઇ જવાથી અશક્ત થઇ ગયું હતું.અને સઘળાં દ્રશ્યો (મૃષ્ટિ) નો આરંભ થયો નહોતો, ત્યારે વિક્ષેપ-રહિત, અસ્ત-રહિત,પ્રકાશમાન,અજન્મા,ઉપદ્રવ-રહિત,અને સર્વદા સઘળું કરવાની શક્તિવાળા, સર્વ-રૂપ અને મહેશ્વર -એવા એક શાંત "પરમાત્મા" જ અવશેષ (બાકી) રહ્યા હતા.
તેમના સ્વ-રૂપ ને ઇન્દ્રિયો પહોંચી શકતી નથી. અને ત્યાંથી પાછી વળે છે.મુક્ત-લોકો તેમનો પ્રત્યક્ષ અનુભવ કરે છે.તેમનાં "આત્મા" -વગેરે નામો એ સ્વાભાવિક નથી પણ "આરોપિત-ધર્મો" થી કલ્પી કાઢેલાં છે.
સાંખ્ય-શાસ્ત્રીઓ તેમને "પુરુષ" કહે છે, વેદાંત-શાસ્ત્રીઓ તેમને અત્યંત નિર્મળ "બ્રહ્મ" કહે છે, વિજ્ઞાન-વાદીઓ તેમને ક્ષણિક "વિજ્ઞાન-રૂપ" કહે છે, તો શૂન્ય વાદીઓ તેમને "શૂન્ય" કહે છે.
અને આવા તે સૂર્ય ના તેજ ને પણ પ્રકાશ આપનારા છે.વળી તે સર્વના "પ્રત્યગાત્મા-રૂપે" સર્વદા બોલનાર, વિચાર કરનાર,કર્મ ના ફળોને ભોગવનાર,કર્મો ના જોનાર કર્મોના કરનાર છે. એ પરમાત્મા જગતમાં વિદ્યમાન છતાં પણ પામર લોકો ની દૃષ્ટિ થી અવિદ્યમાન છે. દેહમાં રહેલા હોવા છતાં તે દેહથી દૂર છે.
જેમ સૂર્યથી પ્રકાશ થાય છે, તેમ એમનાથી આ પ્રપંચ થાય છે. જેમ, સૂર્ય થી કિરણો થાય છે તેમ, વિષ્ણુ -વગેરે દેવતાઓ એમના (પરમાત્મા) થી થાય છે.