________________
ત્યારે દુય (જગત) ના અભાવને લીધે, દ્રષ્ટા (પરમાત્મા) માં દ્રષ્ટા-પણું રહે નહિ, એટલે કે સત્ય એવા દ્રષ્ટા (પરમાત્મા-આત્મા-સત્ય) ને "કેવળ-પણું" (કેવળ-એક-પણું) પ્રાપ્ત થાય છે .
જેમ,વાયુ નું હાલવું-ચાલવું બંધ પડે એટલે પાંદડાં નું હલન-ચલન પણ બંધ થાય છે, તેમ,કૈવલ્ય ના બોધ થી મન કેવળ "આત્મા-રૂપ" થાય છે અને તેનું હલન-ચલન બંધ પડે છે, અને જેથી, રાગ-દ્વેષ -વગેરે વાસનાઓ પણ બંધ પડી જાય છે.
જેમ દર્પણ ની આસપાસ ના પદાર્થો નું પ્રતિબિંબ દર્પણ માં નહિ પડવાથી , દર્પણને તેનું "સ્વ-રૂપાત્મક" (પોતાનું) "કેવળ-પણું" રહે છે તેમ"હું ,તું અને જગત" વગેરે દૃશ્ય નો ભ્રમ શાંત થતાં દ્રષ્ટા પણા થી રહિત થયેલા - આત્મા (પરમાત્મા) નું પણ "કેવળ-પણું" પ્રાપ્ત થાય છે.
રામ બોલ્યા-જો દુય (જગત) -એ-ના જ હોય તો આત્મા (પરમાત્મા) કેવળ-પણું પામે,પણ દૃશ્ય (જગત) તો પ્રત્યક્ષ રીતે સત્તાવાળું (નજર-સમક્ષ-સત ની જેમ-સાચું હોય તેમ ) જોવામાં આવે છે, અને જે સત હોય તેનો અભાવ હોય નહિ. અનેક પીડાઓ (દુઃખો) આપનાર આ દુય (જગત) નો અભાવ થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી માટે હે, બ્રહ્મન, મનથી સંસારની ભ્રાંતિ આપનાર અને દુઃખના સમુહો ને આપનાર આ દ્રશ્ય (જગત) કેવી રીતે શાંત થાય છે?
વશિષ્ઠ બોલ્યા-હે,રામ,આ દૃશ્ય-રૂપી પિશાચ ની શાંતિ માટે આ મંત્ર-રૂપ ઉપદેશ કહું છું તે સાંભળો. કે જેનાથી તે (દશ્ય) પિશાચ મરણતોલ થઈને નાશ પામે છે.
જે પદાર્થ (વસ્તુ) હોય તો તેનો નાશ થઇ શકે નહિ. માટે જો દૃશ્ય પદાર્થ હોય તો તેનો નાશ સંભવે નહિ. કદાચ તે અંતર્ધાન થઇ જાય અને જો તે હૃદયની અંદર બીજ રૂપે રહે -તો- તે ચિદાકાશમાં "દૃશ્યતા" પાછી (ફરીથી) ઉત્પન્ન થાય અને પર્વત-વગેરે જેવા આકારવાળા પ્રપંચ-રૂપ દોષો ઉત્પન્ન કરે,
આમ,દય જો બીજ-રૂપે પણ રહેતું હોય તો-તે દોષ ના લીધે કોઈને પણ મોક્ષ થવાનો સંભવ નથી. પરંતુ આપણે જીવન-મુક્ત મહર્ષિઓ-દેવષિઓ ને (આંખોથી) પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આ પરથી સિદ્ધ થાય છે કે-૬૨૫-એ બીજ-રૂપે પણ રહેતું નથી. આવી રીતે-દૃશ્ય પદાર્થ ભલે અંદર કે બહાર હોય તો પણ તેની સ્થિતિ કેવળ "નાશ" જ કરે છે.
હે રામ, બીજા વાદીઓ (જુદા જુદા વાદ ના વાદીઓ) ને અત્યંત ભયંકર લાગે તેવી,આ એક પ્રતિજ્ઞા હું કરું છું, તે તમે હવે સાંભળો,કે એ પ્રતિજ્ઞા હવે પછી ઉત્તર-ગ્રંથ થી તમારા હૃદય માં ઉતરશે.
આ આકાશ-વગેરે પંચ-ભૂતો,હું અને તું-વગેરે રૂપ -જગત-શબ્દ- નો જે અર્થ છે, તે કંઈ પણ નથી. આપણી નજર સમક્ષ જે કંઈ દૃશય જોવામાં આવે છે-તે-સઘળું અજર અમર અને અવ્યય-"પર-બ્રહ્મ" જ છે. આ સઘળું દૃશય (પ્રપંચ) -પૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ માં પૂર્ણ રીતે પ્રસરી રહે છે, અને શાંત-પણે રહે છે. જેમ, આકાશમાં જ ઉદય પામેલું ઘટાકાશ -આકાશ-રૂપ જ છે. તેમ,બ્રહ્મ માં ઉદય પામેલા જીવ " એ બ્રહ્મ-રૂપ જ છે. દશ્ય (જગત) દ્રષ્ટા (પરમાત્મા) કે દર્શન એ કોઈની સત્તા "બ્રહ્મ" થી જુદી નથી. જે બ્રહ્મ છે તે શૂન્ય નથી,જડ નથી,અને બુદ્ધિમાં પ્રતિબિમ્બિત પણ નથી માટે તે વ્યાપક એવા શાંત છે.