________________
પરમ-પદ ની પ્રાપ્તિ થયા પછી ક્ષીણ થઇ જાય છે, જેણે સઘળી “ઇચ્છાઓ” છોડી દીધી છે-તેવું મધુર વૃત્તિઓ વાળું “મન”, સઘળી રીતે વિશ્રાંતિ પામે છે.
સઘળી “વિચાર સંબંધી ક્રિયાઓમાંથી રહિત થયેલું અને સઘળાં “કૌતુકો” થી મુક્ત થયેલું, એ “મન” પછી કોઈ જાતની ઇન્દ્રજાળ ઉભી કરતું નથી અને વાસના તરફ દોડતું નથી. અને સઘળી ચપળતા ને છોડી દઈને બ્રહ્માકાર-પણા થી જ વિરાજે છે બેસી જાય છે)
મન ની આવી વૃત્તિઓ (શાંત-પણાની) એ “આત્મ-તત્વ” ના અવલોકન થી જ મળે છે.બીજા કશાથી નહિ. તેથી પુરુષે “આત્મા” ને જાણવો જોઈએ. અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેનું જ (આત્મા નું જ) શ્રવણ-મનન-નિદિધ્યાસન કરવું જોઈએ.બીજાં વ્યર્થ કર્મો કરવાં જ ન જોઈએ.
જેણે ખંત-પૂર્વક અભ્યાસથી પોતાના અનુભવની,શાસ્ત્ર ની,અને મહાત્માઓની-“એક-વાક્યતા” થઇ હોય, તે પુરુષ સ્વરૂપાનંદ ભોગવે છે.
આ શાસ્ત્ર નું શ્રવણ કંઈક “સંસ્કારી બુદ્ધિવાળા” પુરુષોની “મૂર્ખતા” ને જેવી રીતે દૂર કરે છે, તેવી રીતે બીજા કોઈ શાસ્ત્ર નું શ્રવણ કરી શકતું નથી. સુખ-દાયી,યથોચિત (યથાયોગ્ય) દુષ્ટાંતો થી રમણીય અને “વિરોધ વગરનું આ શાસ્ત્ર,વાક્યર્થ પર ધ્યાન રાખી ને સાંભળવું (કે વાંચવું) જોઈએ.
આ સંસારમાં દુઃખો અનંત છે અને સુખો,ઘાસના તણખલા જેવડા (જેટલા) જ છે.માટે, “અંતમાં દુઃખ આપનારાં સુખો માં કદી દૃષ્ટિ બાંધવી (રાખવી) નહિ. સમજુ પુરુષે તો પરમ પુરુષાર્થ ની સિદ્ધિ માટે અનંત અને (અધિક) પરિશ્રમ વિનાના. બ્રહ્મ-પદને પ્રયત્ન-પૂર્વક સાધવું જોઈએ.
હે,રામ,દુઃખ થી સુખ નાશ પામે છે ને સુખ થી દુઃખ નાશ પામે છે.અને, આમ મનુષ્ય ને આવા સુખ-દુ:ખ ની દશામાં કદી વિશ્રાંતિ મળતી નથી. આ સુખ-દુઃખ ની દશાઓ-એ વીજળી ના ચમકારા જેવી ક્ષણ ભંગુર છે. માટે, તમારા જેવા મહાત્મા પુરુષો જે વૈરાગ્યવાળા અને ઉત્તમ વિવેક વાળા હોય છે, તેમને પ્રણામ કરવા, અને તેમને જ ભોગના તથા મોક્ષ ના મુખ્ય પાત્ર-રૂપ, અને “યોગ્ય” સમજવા.
સારી રીતે સમજનારા વિવેકી પુરુષે-મોહ આપનારી આ સંસાર સંબંધી રચનાઓમાં આસક્તિ રાખવી નહિ.અને વળી) જે મનુષ્ય આ સંસાર ને પામીને બેભાન ની જેમ,ઉપેક્ષાથી માત્ર બેસી જ રહે છે તે-“સળગેલા-ઘર” ની ઉપર ઘાસની પથારી માં જ સૂતો છે. તે બળવાનો જ છે)
જેને પામીને વિદ્વાનો,પાછા ફરતા નથી, અને જેને પામીને મનુષ્ય ને કદી પણ શોક કરવો પડતો નથી, તે પદ-નિઃસંશય જ્ઞાન-ભાવ થી જ મળે છે. કદાચ તે પદ ના હોય –એવો તમને સંશય હોય) તો પણ તમને શી હરકત છે? અને જો હશે તો તેનો વિચાર કરવાથી તમે આ સંસાર-સમુદ્ર ની પાર ઉતરી જશો.
જો “આત્મ-વિચાર” કરવામાં આવે તો,કૈવલ્યની પ્રાપ્તિમાં કશો (બહ) પરિશ્રમ પડતો નથી. એ પદ ની પ્રાપ્તિ માં –ધન,મિત્રો,બંધાવો, હાથ-પગનું ચલાવવું,પરદેશ જવું, શરીર ને ઉપવાસ વગેરે લેશો –આપીને દુઃખી થવું કે તીર્થક્ષેત્ર માં નિવાસ