________________
તમે કશી ચિંતા રાખ્યા વિના તમારી શુભ વાસનાઓ ના સમૂહ ને પણ ત્યજી દેજો.
આમ,શુભ વાસનાઓનો અભ્યાસ કરીને,શુભ વાસના-વાળી,મનોહર “બુદ્ધિ” થી,શોક-રહિત એવા ઉત્તમ-પદ” નો સાક્ષાત્કાર કરી,તે ઉત્તમ પદ નો પણ ત્યાગ કરી “સ્વ-રૂપ” માં જ મસ્ત રહો.
(૧૦) પૃથ્વી પર જ્ઞાન ઉતરવાનો ક્રમ
વશિષ્ઠ કહે છે કે-હે, રામ,જે “બ્રહ્મ-તત્વ” છે-તે-સર્વદા-સર્વ ઠેકાણે-સર્વ ના અનુકૂળ-પણા થી રહેલું છે. પણ,તેને “ભવિષ્ય-કાળ” નો સંબધ આપી ને-લોકો- “ભવિતવ્યતા” કહે છે. અને આ “ભવિતવ્યતા” જ “નિયંતા-રૂપ” (બ્રહ્મ) “કારણ” માં “નિયામક-રૂપે” રહેલી છે.અને“કાર્ય” પદાર્થોમાં “નિયમ્ય-પણે” રહેલી છે. વળી,એવો દૃઢ સિદ્ધાંત છે કે “કારણ” (બ્રહ્મ) એ “કાર્ય” કરતાં પહેલું જ હોવું જોઈએ. આથી કલ્યાણ ના અર્થે (બ્રહ્મ-કે-મોક્ષ પામવાના અર્થે) વિષયો માં ડૂબેલી,ઇન્દ્રિયો પર,પુરુષાર્થ નો આશ્રય કરી ચિત્ત ને એકાગ્ર કરી,મન ની સમતા મેળવો. અને તમને –જે-આ હું “સંહિતા” કહું છું તે તમે સાંભળો.કે જે સર્વ “વેદો ના સાર” થી બનાવેલી છે, અને મોક્ષ ના ઉપાયો થી ભરેલી છે.
સઘળાં દુઃખો નો ક્ષય કરનારું અને બુદ્ધિ ને પરમ વિશ્રાંતિ આપનારું,આ શાસ્ત્ર, સર્વ ને (સર્વ જીવો ને) બનાવનારા બ્રહ્માએ કલ્પના આરંભમાં કહ્યું હતું.
શ્રીરામ પૂછે છે કે આ શાસ્ત્ર બ્રહ્માએ શા કારણથી કહ્યું હતું? અને તમને શી રીતે પ્રાપ્ત થયું હતું? વશિષ્ઠ કહે છે કે-નિર્વિકાર પરમાત્મામાંથી “બ્રહ્માંડ-રૂપ-વિરાટ-પુરુષ” ઉત્પન્ન થયો. (જેમ પાણી સ્થિર હોય,અસ્થિર હોય-તરંગો હોય, પણ તે સર્વ પાણી જ છે, તેમ માયાના સંસર્ગ થી ક્ષોભ કે અક્ષોભ સ્થિતિમાં પરમાત્મા નિર્વિકાર-અખંડ સ્વરૂપ જ છે) જે વિરાટના હૃદય-કમળમાંથી “બ્રહ્મા” ઉત્પન્ન થયા અને બ્રહ્માએ સર્વ પ્રાણીઓના સમૂહને ઉત્પન્ન કર્યો.
જંબુદ્વીપ (એશિયા ખંડ) ના એક ખૂણા-રૂપ આ ભરત-ખંડ માં –બ્રહ્મા એ જે પ્રાણીઓ ના સમૂહ ને પેદા કર્યો,તેમને - આધિ-વ્યાધિ,લાભ-અલાભ થી અસ્થિર મનવાળાં અને થોડા જીવનવાળાં – જોઈ ને- જેમ પિતાને પુત્રનાં આંસુ જોઈ ને કરુણા આવે તેમ-બ્રહ્મા ને પણ કરુણા આવી.અને તેમણે લોકો ના કલ્યાણ માટે અને દુખોના નાશ માટેના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર કર્યો.
વિચારને અંતે તેમણે તપને,ધર્મ ને દાન ને અને તીર્થો વગેરેને ઉત્પન્ન કર્યા. પણ પછી ફરીથી બ્રહ્માએ વિચાર કર્યો કેઆ તપ-વગેરે સાધનોથી પ્રજાના સર્વ દુઃખો નો સર્વથા નાશ થઇ જશે નહિ,પરમ સુખ તો નિર્વાણ (મોક્ષ) થી જ મળે છે, અને આ નિર્વાણ કેવળ “જ્ઞાન” થી જ મળે છે. એથી તેમણે સંકલ્પ કરીને મને (વશિષ્ઠને) ઉત્પન્ન કર્યો.
મેં તે પછી બ્રહ્મા (પિતા) ને મનુષ્યોના દુઃખ ટાળવાનો ઉપાય પૂછ્યોએટલે તેમણે મને જ્ઞાન નો ઉપદેશ કર્યો જેનાથી હું પરિપૂર્ણ સ્વ-ભાવવાળો થયો અને જે જાણવાનું છે, તે સઘળું જાણીને હું “બ્રહ્માત્મક સ્થિતિ” ને પામ્યો. પછી બ્રહ્માએ મને કહ્યું કે-હવે તે લોકો પર અનુગ્રહ કરવા સારું,પૃથ્વી પર આવેલા ભરતખંડ માં જા. ને ત્યાં જેઓ-કર્મકાંડ માં આસક્તિવાળા છે તેમને ક્રમથી કર્મકાંડ નો બોધ આપજે,અને,