________________
254
અને તે બ્રહ્મની “લીલા-માત્ર” થી,સંસાર નું સુખ ભોગવ્યા પછી, તે બ્રહ્મ નું સ્મરણ કરીને બ્રહ્મ માં જ લય પામે છે.
તેજમાંથી જેમ પ્રકાશ પેદા થાય છે, તેમ તે રૂપ રહિત-નિરામય એવા પવિત્ર પદમાંથી સર્વ પ્રાણી ઉત્પન્ન થયેલાં છે. જેવી રીતે જળમાં તરંગ છે તેવી રીતે બ્રહ્મમાં આ ત્રણે ભુવન રહેલા છે.અને તેમાંથી જ ઉત્પન્ન થયેલાં છે. એ “બ્રહ્મ” છે તે જ પ્રાણી માત્ર ના “આત્મા” છે.અને તેમનું જ્ઞાન થવાથી જ આખા જગતનું જ્ઞાન થાય છે. તે બ્રહ્મ જ ત્રણે ભુવનને જાણનાર છે, પણ શાસ્ત્ર ના વ્યવહાર માટે, તે એક બ્રહ્મનાં જ ચિત્ત-બ્રહ્મ-આત્મા-એવાં નામ વિદ્વાનો દ્વારા કલ્પાયેલાં છે.
પ્રિય-અપ્રિય વિષયોનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય, ત્યારે તે મિથ્યા છે એવી બુદ્ધિ જેની હોય, તેને હર્ષ-શોક કે ક્રોધ રહેતા નથી અને જે આવો જીવનમુક્ત નો અનુભવ છે તે જ આત્મા છે.
આકાશની પેઠે અત્યંત સ્વચ્છ ચિદાત્મામાં આ જગત ભિન્ન હોય તેવી રીતે પ્રતિબિંબ પડે છે. અને તે જગતમાં “બુદ્ધિની પ્રેરણા” થી લોભ-મોહ-વગેરે ભેદ થી તે ભેદો -એ ચિદાત્મા માં રહેલા છે. માટે જો ભેદ ના હોય કે ભેદ ના રહે તો તે સર્વ પરમાત્મા જ છે.
હે, રામ, તમારે દેહ નથી,તમારી આકૃતિ નિર્વિકલ્પ-ચૈતન્ય-રૂપ છે. તો પછી,લજ્જા-ભય-ખેદમાંથી તમને,મોહ કેમ ઉત્પન્ન થાય છે? તમે દેહ નથી, તો પછી લજ્જા-વગેરે કે જે દેહમાંથી ઉતપન્ન થયેલા અને અસત છે તેનાથી મૂર્ખની જેમ દુર્બુદ્ધિ થઈને પરાભવ કેમ પામો છો? તમારો પોતાનો દેહ નાશવંત છે, અને જે અજ્ઞાની છે તેવા મનુષ્યના આત્મા નો પણ નાશ થતો નથી, તો પછી, જ્ઞાની પુરુષના આત્મા નો તો કેમ નાશ થાય?
સુર્યના આધાર વિનાના માર્ગ માં પણ જે ચિત્તનો જવા-આવવાનો સંચાર થાય છે, એ ચિત્ત છે તે જ પુરુષ છે, પણ શરીર એ પુરુષ નથી.શરીર હોય કે ના હોય તો પણ તે શરીરનો નાશ થયા પછી,ચિત્ત-રૂપી પુરુષ, એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય તો પણ તેનો આત્મા નાશ પામતો નથી.
આ સંસારમાં જે ચિત્ર-વિચિત્ર દુઃખો જોવામાં આવે છે-તે બધાં દેહને છે, પણ અગ્રાહ્ય એવા આત્માને નથી. ચૈતન્ય તો મન ના માર્ગ નું અતિક્રમણ કરીને શૂન્ય ની પેઠે રહેલું છે. તેને સુખ-દુઃખ-રૂપે કેમ વ્યાપ્ત થાય?
આ દેહ-પિંજર નો નાશ થયા પછી,દેહમાં રહેનારો આત્મા,દેહનાં અભિમાન ને ત્યાગ કરીને પોતાના મૂળ-સ્થાનક પરમાત્મા માં જ લય પામે છે.પણ દેહને વાસનાનો અભ્યાસ હોવાથી તેની મુક્તિ થતી નથી.
હે, રામ,જો આ "જીવ-રૂપી આત્મ-તત્વ" (શરીર) મિથ્યા હોય, તો પછી આ દેહ-પીંજરનો નાશ થવાથી,કોનો નાશ થાય છે?તથા કોના માટે તમે ખેદ કરો છો? માટે સત્ય એવા બ્રહ્મ નું ચિંતન કરો,મોહની ભાવના કરો નહિ.
ઈચ્છારહિત તથા નિર્મળ આકૃતિ વાળા આત્માને કંઈ પણ ઈચ્છા થતી નથી. જેમ,દર્પણ ને અને પ્રતિબિંબને ઈચ્છા ના હોવા છતાં પણ પરસ્પર તેઓનો સંબંધ થાય છેતેમ,આત્મા તથા આ જગતનો –આ જગતમાં ઈચ્છા વિના જ સંબંધ થાય છે.અને તેને લીધે જ ભેદ-અભેદ ની વ્યવસ્થા કરવામાં આવે છે.