________________
233
સાંભળો.બાહ્ય-વસ્તુ નો ત્યાગ કરીને પોતાના પુરુષાર્થ થી,પ્રયત્ન કરીને -તે-ચિત્ત-રૂપી-ભૂત જીતાય છે. જે મનુષ્ય-મનપસંદ વસ્તુ નો ત્યાગ કરીને,ચિત્તના રોગો (રાગ-દ્વેષ-વગેરે) થી શૂન્ય થઈને રહે છે, તે મનુષ્ય મન ને જીતી શકે છે.
જેવી રીતે શીતળ (ઠંડું) લોઢું એ તપાવેલા (ઉના) લોઢાને કાપી નાખે છે, તેવી રીતે,શાસ્ત્ર અને સત્સંગ થી ધીરજવાન અને શાંત ચિત્ત થી ચિંતાથી તપી ગયેલા ચિત્તને કાપી નાખવું.જેમ,બાળક ને પ્રેમ-ભય વગેરે ઉપાયો થી સારે માર્ગે દોરવામાં આવે છે તેમ, ચિત્ત-રૂપી-બાળક ને પણ પ્રેમ-ભય વગેરે ઉપાયો થી) સારે માર્ગે દોરી શકાય છે. આમ,સંસારમાં આસકત થયેલા મન ને પોતાના પુરુષાર્થ થી પરમાત્મા સાથે જોડી દેવું જોઈએ.
જેવી રીતે મલ્લ (કુસ્તીબાજ) એ યુદ્ધમાં બાળક ને કોઈ શ્રમ વગર જીતે છે, તેવી રીતે વિષયાસક્ત મન ને “બ્રહ્મ-રૂપ-ભાવના” નો પુરુષાર્થ) કરવાથી – શ્રમ વગર જીતી શકાય છે. અને તેને જીત્યા પછી પ્રયત્ન વિના જ બ્રહ્મ-પ્રાપ્તિ થાય છે. પોતાને સ્વાધીન અને સુસાધ્ય –એવા ચિત્તને જે મનુષ્ય જીતવાને સમર્થ થયા નથી તેવા ને ધિક્કાર છે.
પ્રિય વસ્તુ ના ત્યાગ-રૂપી પુરુષાર્થ થી જ મનની શાંતિ સાધ્ય છે,અને મન ની શાંતિ વિના શુભ ગતિ નથી. “આત્મ-સંવેદન” થી મન ને સહેલાઈ થી મારી શકાય છે, અને એમ જો મન ને મારવામાં આવે તોઆ જીવન-મુક્ત દેહમાં મોહ-વગેરે શત્રુ થી રહિત,અચળ અને આદિ-અંત થી રહિત એવાબ્રહ્માનંદ ની પ્રાપ્તિ થાય છે.મોક્ષ ના સાધન-રૂપ “મન ની શાંતિ” થયા વિનાશાસ્ત્ર-મંત્ર-ગુરૂ-વગેરે અન્ય સાધનો “તૃણ-રૂપ” છે (તણખલા જેવા છે એટલે કે તેનો કોઈ ફાયદો નથી)
જયારે “અસંકલ્પ-રૂપી-શસ” થી મૂળ સહિત,ચિત્તનું છેદન થાય છે, ત્યારે જ,શાંત બ્રહ્મ ની પ્રાપ્તિ થાય છે. સંસાર-રૂપી અનર્થ નું શાસન એ પોતાના “મન ના સંવેદન” થી જ (કલ્પનાથી જ) મળે છે, અને તેને દૂર કરવામાં શાંતિ-વગેરે સાધનો સિદ્ધ છે તો પછી જીવનમુક્ત થવામાં પુરુષ ને શો કલેશ છે?
માટે,દૈવ (નસીબ) નો અનાદર કરો,એ દૈવ તો મૂઢોએ કલ્પી કાઢેલી કલ્પના છે. તમે પુરુષાર્થ કરીને સંકલ્પ થી કલ્પિત ચિત્તને –અચિત્ત-પણાને પમાડો.અને પર-બ્રહ્મ-રૂપી કોઈ પણ મહા-પદવી ને પામીને તથા તે ચિત્ત ને ચૈતન્યમાં લય કરીને, તમે ચિત્તથી પર થઈને રહો. પ્રથમ ચૈતન્ય ની ભાવના કરો, અને તેની સ્થિરતા માટે-પરમ-સાવધાન-વાળી બુદ્ધિ થી યુક્ત થાઓ. અને આમ ચિત્ત નો લય થવાથી, તમે અવ્યગ્રતા થી આત્માને ધારણ કરો.
હે,રામ, જેમ દિમૂઢ-દશામાં અવળી થયેલી બુદ્ધિને પણ મનુષ્ય પરમ પ્રયત્ન થી જીતી શકે છેતેમ,મન પણ પુરુષાર્થ થી જીતી શકાય છે.વૈર્ય થી મનો-જય (મન પર જય) થાય છે. અને એ મનો-જય આગળ કૈલોક્ય નો વિજય પણ તૃણ-રૂપ છે.
રાજ-સુખ માટે કોઈ રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવામાં શસ્ત્રો-વગેરે થી ઉત્પાત થાય છે, અને સ્વર્ગ-સુખ માં પણ “પુણ્ય પુરુ થયે પાછા પડવું પડશે” એવી પીડા (દુઃખ) રહે છે, પણ, મનોજય કરીને બ્રહ્મ-સુખ સંપાદન કરવામાં કંઈ પણ કલેશ નથી. જે અધમ મનુષ્યો,પોતાના મન-માત્ર ને જીતી શકતા નથી,તે વ્યવહાર દશામાં કેમ,વ્યવહાર કરી શકશે?
“મારું મરણ થયું” કે “મારો જન્મ થયો” એવી કુદૃષ્ટિ –એ ચપળ ચિત્તમાં થયેલી અસત-વૃત્તિ ને લીધે થાય છે, પણ ખરી રીતે જોતાં તો-કોઈ નું મરણ કે જન્મ નથી,પણ મરણ પામેલું પોતાનું જ મન બીજા લોકો ને જુએ છે. તે મન અહીંથી પરલોકમાં જાય છે, અને ત્યાં અન્ય-પણા થી ફુરણ પામે છે, તથા મોક્ષ-પણાને પામે છે