________________
219
એવા મન ને પોતાના શરીર નો ત્યાગ કરતી વખતે આનંદ ની અભિવૃદ્ધિ થાય છે.
અને તેવો વિવેકી) મનુષ્ય પોતાના અંગો તરફ દૃષ્ટિ કરીને હાસ્ય કરે છે -એમ કહ્યુંતે એ બતાવે છે કે તે એવો વિચાર કરે છે કે “અહો,આ મારા અંગો જ મને છેતરવાનું સાધન છે, અને મિથ્યા વિકલ્પથી રચાયેલા અંગો વડે હું ઘણી વાર છેતરાયો.” એટલે કે વિવેક પ્રાપ્ત થયા પછી,પરમ-પદમાં વિશ્રાંતિ પામેલું,મન - પહેલાંની “દીનતા ના આધાર-રૂપ-પદાર્થ” (એટલે કે શરીર) ને દુરથી હાસ્ય કરતાં કરતાં જુએ છે.
“મેં તેને (તે ભટકતા પુરુષ -મન ને) માર્ગ માં રોકીને પ્રયત્ન થી પ્રશ્ન કર્યો” એમ જે કહ્યુંતે એ બતાવે છે કે “વિવેક (વશિષ્ઠ) એ પ્રયત્ન થી મન ને રોકે છે” અને “મારી સામે તેનાં અંગો તૂટીને અંતર્ધાન થઇ ગયા” તે એ બતાવે છે કેવિવેક ને લીધે મન નો નાશ થતી વખતે અર્થ ની અનેક પ્રકારની આશાઓ નો નાશ થાય છે,
“તે પુરુષને હજાર નેત્ર અને હજાર હાથ હતા” એમ જે કહેલું છે તે ઉપરથીતે મન ને અનંત આકૃતિ-પણું છે-એમ સમજવાનું છે. “પુરુષ પોતાની મેળે જ પોતાના પર પ્રહાર કરતો હતો” એમ જે કહેલું છે તે ઉપરથીમન અનેક પ્રકાર ની ક-કલ્પનાઓ કરીને પોતાના શરીર ને પ્રહાર કરે છે તેમ સમજવાનું છે. “તે પુરુષ પોતાના પર પ્રહાર કરીને ચારે બાજુ દોડતો હતો” એમ જે કહેલું છે તેના ઉપરથીમનુષ્ય નું મન પોતાની વાસના-રૂપ પ્રહારથી તે વાસના અનુસાર દોડ્યા કરે છે એમ સમજવાનું છે.
મન પોતાની મેળે જ પોતાને પ્રહાર કરે છે અને ચારે તરફ દોડાદોડ કરે છે !! જુઓ.અજ્ઞાન (અવિદ્યા-માયા) નું આ કેવું કૌતક છે
પોતાની વાસનાથી તાપ પામેલાં મન સ્વેચ્છાથી પલાયન વૃત્તિ થી દોડાદોડી કરી મૂકે છે. આ જગતમાં જે દુઃખ નો વિસ્તાર થયો છે તે મન ને લીધે જ છે.અને મન પોતે ખેદ પામી, પોતાને જ મારીને, ઘવાઈને - ચારે બાજુ દોડ્યા કરે છે. જેવી રીતે કોશેટો પોતાની લાળ-રૂપી જાળ થી પોતાને જ બંધન કરે છે, તેવી રીતે મન,પોતાની સંકલ્પિત વાસના-રૂપી જાળ થી પોતાને બંધનમાં નાખે છે. જેમ,બાળક રમત કરવા સમયે,પાછળ થી પોતાને જ દુઃખ થાય તેવી રમત અજ્ઞાનથી રમે છે, તેમ,મન,પોતે ભવિષ્યના દુઃખ નો વિચાર કર્યા વગર,પાછળ થી અનર્થ થાય તેવી ક્રીડા પણ કરે છે. એટલે લાંબો સમય સુધી આત્મ-વિચાર કરીને યોગાભ્યાસ થી મન ને વશ કરી લેવું. કે જેથી શોક કરવાનો વખત આવે નહિ.
મન ના પ્રમાદ (આળસ) થી દુઃખના પહાડ વધે છે.પણ, જેમ સૂર્યોદય થી હિમ (બરફ) નો નાશ થાય છે, તેમ,મન ને વશ રાખવાથી દુઃખનો નાશ થાય છે. જે મનુષ્ય નું મન,વાસનાઓ વડે સંસારના રાગ (આસક્તિ) માં રમ્યા કરે છે, તે જ મનુષ્ય નું મન પાછળથી,તત્વ-જ્ઞાન ને લીધે પરમ પવિત્ર થાય છે. (થઇ શકે છે, અને જન્મ-મરણ થી રહિત,એવા પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યારે તેને મહા-આપત્તિમાં પણ શોક થતો નથી.
(૧૦૦) બ્રહ્મ સર્વ શક્તિવાળે છે તથા બંધન અને મોક્ષ અજ્ઞાન થી જ છે.
વશિષ્ઠ કહે છે કે-હે રામ, આ ચિત્ત (મન) એ બ્રહ્મ ના પરમ-પદમાંથી પ્રાપ્ત થયેલું છે. પણ,જેમ,સાગરમાંથી ઉત્પન્ન થયેલ તરંગ એ સાગર-મય છે અને સાગર-મય નથી,