________________
કષ્ટ થી કપાય,એવી આ તૃષ્ણા ને મહા-બુદ્ધિમાન પુરુષો વિવેક (રૂપી તલવાર) થી કાપી નાખે છે. કારણ કે, ચંચળ,અને ભવનોમાં) સઘળે વ્યાપ્ત,અને અતિ-નિકટ હોય છતાં,ન દેખાય તેવી, આ તૃષ્ણા,મનુષ્ય ભલે ને, દૃઢ,જ્ઞાનવાન, શૂરવીર,ધીર –હોય પણ,તેવા નરોત્તમને પણ, એક પલકારામાં તરણાના તોલ નો (નકામો) કરી નાખે છે.
(૧૮) દેહની નિંદા
રામ કહે છે-કે- અનેક વિકાર-વાળો,લોહી ની નાડીઓ થી વ્યાપ્ત,અને (વિષ્ઠાવાળા) આંતરડાથી ભરેલ, એવો જે દેહ,આ સંસારમાં આવે છે-તે કેવળ દુ:ખ ને માટે જ આવે છે.
એ “દેહ” - “જડ” છે,છતાં, “આત્મા” ના અધ્યાસ-રૂપ-ચમત્કાર નું (ચમત્કાર જેવું) પાત્ર હોવાને લીધે – એ (દેહ) તે “આત્મા” જેવો જણાય (લાગે) છે. થોડો વિચાર કરતાં લાગે છે-કે-તે મુક્તિ ના કારણ-રૂપ હોવાને લીધે “ઉત્તમ” છે, ને નર્ક ના કારણરૂપ હોવાને લીધે “અધમ” છે. વળી તે બીજા જડ-પદાર્થો જેવો “જડ”પણ નથી, અને “ચેતન” પણ નથી.
ચંચળ,અવિવેકી, અને અશુદ્ધ ચિત્તવાળો –મૂર્ખ –મનુષ્ય જ, એ “દેહ” ને “આત્મા-રૂપ” દેખે છે. પણ,આ દેહ થોડી વારમાં આનંદ પામે છે અને થોડીવારમાં આનંદ વગરનો ખેદ-યુક્ત) થઇ જાય છે. જયારે આત્મા તો સદાય “સત-ચિત-આનંદ” સ્વરૂપ છે. (એટલે દેહ એ આત્મા નથી)
આવા દેહ (શરીર) ને પીપળા ના ઝાડ,વન,ઘર,કાચબો, દેડકો,પાંદડું,સમુદ્રમાં તણાતું લાકડું-વગેરે સાથે વિગત થી સરખામણી કરતાં રામ કહે છે કે આ દેહ-રૂપી “ઘર” (અને વન) મને ગમતું નથી.
જેમ, કાદવ માં ખેંચી ગયેલા હાથી ને કોઈ થોડા બળ વાળો બહાર કાઢી શકે નહિ, તેમ,આ સંસારના અનંત તાપોમાં ખેંચી ગયેલા મારા શરીર ને હું બહાર કાઢી શકતો નથી. ત્યારે લક્ષ્મી, રાજ્ય ક્રિયા,કર્મ —વગેરે કશું કામમાં આવતું નથી, અને ગણેલા દિવસોમાં કાળ (મૃત્યુ) આ સઘળાં ને કાપી નાખે છે. હે, મુનિ,લોહી-માંસ થી ભરેલી આ કાયામાં વળી શું રમણીયતા છે? પાળી-પોષી ને મોટાં કરેલાં શરીરો,મરણ વખતે જીવ (આત્મા) ની સાથે જતાં નથી, તો એવાં કૃતઘ્ન શરીર પર કયા બુદ્ધિમાન ને આસ્થા હોય?
ઘણા લાંબા સમય સુધી,ખાઈ-પી ને છેવટે તો દેહ દુબળો થઇ ને મરણ ને જ પામે છે. અને એનાં-એ-જ આવ્યા કરતાં ને જતાં રહેતા- સુખ-દુઃખો ને વારંવાર અનુભવવા છતાં, આ પામર દેહ ને લાજ પણ આવતી નથી. જે દેહ, લાંબા સમય સુધી ના ઐશ્વર્ય ને ભોગવીને તથા લક્ષ્મી ને સેવી ને પણ – ઉત્કર્ષ પામતો નથી-કે અવિનાશી-પણું પણ પામતો નથી,તો –તેને શા માટે પાળવો જોઈએ?
ભોગી ના કે દરિદ્રના –એ બંને ના દેહ તો સરખા જ છેકારણ કે તે ઘડપણના સમયમાં ઘરડા થાય છે અને મરવાના સમયમાં મરી જાય છેઆમ જે (દેહ) ને ગુણ-અવગુણ નું પણ જ્ઞાન નથી-તો- તેવા દેહ ને શું કામ પાળવો જોઈએ?
આ દેહ પોતાની ચપળતાથી અનેક ક્રિયાઓ કરે છે, પણ તે નિષ્ફળ થાય છે,