SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ તે મન એ "મનનાત્મક છે અને સર્વ ભોગો ભોગવનારું છે અને બ્રહ્મમાં રહીને "સ્થિતિ" પામેલું છે. "અમુક પદાર્થ આવો છે તથા અમુક પદાર્થ આવો નથી" વગેરે "સંકલ્પ-વિકલ્પ" મનને લીધે થાય છે. જેવી રીતે કોઈ સ્થળે ગંધ નો અનુભવ થયા પછી,પછી ગંધ ના હોય તેવા સ્થળે પણ પૂર્વ ની વાસનાને લીધે ગંધ નો અનુભવ થાય છે,તેવી રીતે આ સૃષ્ટિ વાસનાને લીધે સત-અસત ના આભાસ-રૂપ જણાય છે. મન ને લીધે ભેદ જણાય છે પરંતુ વસ્તુતઃ ભેદ નથી. તથા બ્રહ્મા,જીવ,મન,માયા,કર્તા અને કર્મ વગેરે જે દેખાય છે-તે જગતની દૃષ્ટિ થી છે,પણ બ્રહ્મરૂપે તે એક જ છે. જેમ સમુદ્રમાં અનેક પ્રકારના તરંગો ઉકળે છે અને તેનો વિસ્તાર થાય છે તેમ, ચિત્ત-રૂપી સમુદ્રમાં સંવેદન ને લીધે,આત્મા પોતે “જગત-રૂપ" જણાય છે. પણ તે અસત્ય છે,અસ્થિર છે -ત્તમ છતાં અધિષ્ઠાન ની સત્તાથી સત્ય જણાય છે. સ્વપ્ન ને વિષે જેમ અસત-સત પદાર્થ જોવામાં આવે છે,તેમ આ જગત ચિત્ત ને લીધે સત-અસત્ જણાય છે. પણ વસ્તુતઃ તે છે જ નહિ.જગત એ સત્ નથી,અસત્ નથી અને ઉત્પન્ન સુધ્ધાં થયું નથી.પણ, ચિત્તના ભ્રમથી જ જગત જણાય છે.મનના બળથી આ જગત સ્થિતિ પામેલું દીર્ઘ-કાળનું સ્વપ્ન છે. જીવ આત્મા વિશેના પોતાના અજ્ઞાનને લીધે સર્વ દુખના "કારણ રૂપ-ચિત્ત” નો વિચાર કરતો નથી. આત્મા નું સ્વરૂપ અનિર્વાચનીય છે,તે ચૈતન્ય સ્વરૂપ છે. તેની સ્ફુરણા થી ચિત્ત ની ઉત્પત્તિ થઇ,તે ચિત્તથી જીવ-પણાની કલ્પના થઇ,તેથી અહં-ભાવ થયો, કે જેનાથી ચિત્ત ની સ્ફુરણા થઇ અને તેથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઇ.ને દેહનો મોહ (અહંતા-મમતા) થયો. અને તે-દેહના મોહથી જ સ્વર્ગ-નરક મોક્ષ અને બંધન થયા છે. આવી રીતે બીજ અને અંકુરના પેઠે-દેહ અને કર્મ નો આરંભ રહ્યો છે. ચૈતન્ય તથા જીવમાં જેમ ભેદ નથી,તેમ દેહ અને કર્મ માં કોઈ ભેદ નથી.કર્મ એ જ દેહ છે.કર્મ એ જ ચિત્ત છે, ચિત્ત એ જ અહંભાવ છે અને અમાવ એ જ જાવ છે. જીવ એ જ ઈશ્વર છે,ઈશ્વર એ જ ચૈતન્ય છે અને ચૈતન્ય એ જ આત્મા છે. આ પ્રમાણે એ "બ્રહ્મ-પદ" માં જ સર્વ નો સમાવેશ થયો છે અને સર્વ બ્રહ્મ-રૂપ જ છે. (૬૬) ઈચ્છા-ત્યાગથી અને બોધથી અજ્ઞાનયુક્ત મન નો નાશ થાય છે વશિષ્ઠ કહે છે કે-હે,રામ આ જગતમાં જે અનેકપણું દેખાય છે,તે વસ્તુતઃ બ્રહ્મ-સ્વરૂપ છે. જેમ એક દીવામાંથી અસંખ્ય દીવા થાય છે,તેમ ચિત્ત ને લીધે,એક બ્રહ્મ સ્વરૂપ માંથી આ જગતમાં અનેક-પણું દેખાય છે. જેને વિષે ( જેનાથી) આ અસત્-રૂપ જગત રહેલું છે -એ આત્મા નો વિચાર કરવામાં આવે તોદ્વૈત-પણા નો નાશ થઇ જાય છે. ચિત્ત-માત્ર પુરુષ છે,ને એ ચિત્તની શાંતિ થાય તો આખું જગત શાંત થાય છે. કેમ કે -જેમ,પગમાં જોડા પહેરનાર ને આખી પૃથ્વી ચામડાથી મઢેલી લાગે છે,તેમ જગતમાં ભ્રમ વિના કઈ પણ નથી જન્મ,મરણ બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા સ્વર્ગ,નર-જે જે થાય છેતે માત્ર ભ્રમ ને લીધે ચિત્ત ને થાય છે. 166 જેમ મંદિરા (દારૂ) પીનાર મનુષ્ય ને આકાશમાં જુદાંજુદાં ચક્કર દેખાય છે પણ ખરું જોતાં ત્યાં આકાશ વિના બીજું કઈ પણ નથી તેમ ચિત્તને લીધે સંસારમાં અનેક પણું જોવામાં આવે છે પણ વસ્તુતઃ બ્રહ્મ વિના કઈ જ
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy