________________
159
રામ કહે છે કે-વિદુરથરાજાના ગામનાં માણસોએ તથા સર્વ કારભારીઓએ તેના કુળનો ક્રમ એક જ જાણ્યો-તેનું શું કારણ તે કહો.
વશિષ્ઠ કહે છે કે જેમ થોડા વાયુ ની (લેખા) એ મહાન (મોટા) વાયુ ને અનુસરે છે, તેમ,સામાન્યજ્ઞાન એ મુખ્ય જ્ઞાન (સંવિત-કે સત્ય જ્ઞાન) ને અનુસરે છે.આમ તે મુખ્ય જ્ઞાનને "પરસ્પર નું એક-રૂપ" અદ્રષ્ટ (જોઈ ના શકાય તેવું) હોવાથી તેમ-તે રાજા,પ્રજા ને કારભારીઓને એક બીજાનો અનુભવ થયો.
ત્યાં વિદુરથ ના નગરમાં રહેવાવાળા લોકોને જાણે એવું જ્ઞાન થયું કે આ રાજા અમારા કુળમાં અમુક-રૂપે ઉત્પન્ન થયો છે. ચિંતામણી(રત્ન) માં થી કિરણો પ્રગટ થયાં અને તે કિરણો ને જોતાં મનુષ્યો માં - તેમના મનોરથ અનુસાર વિચિત્ર પદાર્થો થવા-તે સર્વ ચિંતામણી નો સ્વભાવ જ છે. તેમાં કારણ-વિચારની અપેક્ષા નથી.
રત્નમાંથી જેમ કિરણો બહાર નીકળે છે-તેમ વિદુરથ રાજા ના સંવિત (જ્ઞાન) રૂપી રત્ન માંથી, "હું આવી રીતના કુલાચારમાં રાજા થાઉ" એવો મનોરથ થયો. જેમ,કોઈ સ્થળે સર્વત્ર અરીસાઓ હોય તો તેમાં એકબીજામાં પ્રતિબિંબ પડે છે, તેમ, ચૈતન્ય-રૂપી અરીસો સર્વ ઠેકાણે સામાન્ય છે અને સૃષ્ટિમાં જેટલાં જેટલાં જંતુઓ (પ્રાણીઓ) છે, તેમનું એકબીજાનું એક-બીજામાં પ્રતિબિંબ પડે છે.
કદાપિ કહો કે-ચૈતન્ય-રૂપી અરીસામાં નિત્ય પ્રતિબિંબ હોવાથી મોક્ષમાં વિપ્ન આવશેતો તેના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે-અરીસામાં ચલ પદાર્થ નું પ્રતિબિંબ ચલ જણાય છે અને સ્થિર પદાર્થ નું પ્રતિબિંબ સ્થિર જણાય છેતે જ પ્રમાણે માણસ ની સંસારમાં ની "તીવ્ર વેગ-વાળી ભાવના" (ચલ) - જયારે ચૈતન્ય-રૂપી દર્પણ માં "સ્થિર: થાય છે, ત્યારે મોક્ષ થાય છે.
જેવી રીતે સમુદ્રમાં મળનારી મોટી નદી,બીજી નાની નદીને પણ પોતાના વેગ સાથે સમુદ્રમાં ભેળવી દે છે, તેવી રીતે વિદ્વાન માણસ પોતાના ઈશ્વર-સંબંધી મુખ્ય જ્ઞાનના વેગથી,સંસારિક જ્ઞાન ને જીતે છે.અને ઈશ્વરમાં મેળવી દે છે. તે જ રીતે બીજા અજ્ઞાની માણસો માં પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. પણ જો બે સામાન્ય (સરખા) જ્ઞાનવાન હોય તો તેમાંથી ચિત્ત-સ્વભાવ ને લીધએક નો જય થાય છે અને બીજો ડૂબે છે.
આવી રીતે હજારો સર્ગ માં ઉત્પન્ન થતા,નાશ પામતા તથા વર્તમાન માં રહેલા પ્રત્યેક માણસ માં વિચિત્રતા રહેલી છે પણ ખરેખરું જોતાં, કોઈ કોઈનાથી વ્યાપ્ત નથી.તેમકોઈ કોઈના આધારે રહેલું પણ નથી. માત્ર આવરણ વિનાનું શાંત ચિદાકાશ જ રહેલું છે.
આ જે પ્રત્યક્ષ જોવામાં આવે છે-તે-સ્વપ્ન ની પેઠે છે.અને જાગ્રત અવસ્થામાં વિવેક-દૃષ્ટિ વિનાનું સ્વપ્ન છે. જેવી રીતે ઝાડ,પાંદડાં, ફળ,પુષ્પ વગેરે તેના રૂપ થી જણાય છે, તેવી રીતે અંનત શક્તિમાન અને સર્વ કાર્ય કરવામાં સમર્થ એવા પરમાત્મા અનેક રૂપથી જણાય છે. દેશ, કાળ,ક્રિયા તથા દ્રવ્ય-રૂપે જણાતું આ જગત એ જુદા જુદા તરંગોવાળા જળની જેમ - શુદ્ધ ચૈતન્ય-રૂપ જ છે.અને તેમાં ઉદય અને અસ્ત રૂપ વિકાર નથી.
તે (ચૈતન્ય) અજ્ઞાન-રૂપી અંધકાર માં પ્રકાશ કરે છે,અનાદિ શુદ્ધ છે,અને આદિ-મધ્ય-અંત રહિત છે. આકાશના કોશ માં જેમ શૂન્યતા જણાય છે, તેમ સંકલ્પ-વિકલ્પ-રૂપી મન વડે શુદ્ધ બોધ-રૂપી પરમાત્મા નો