________________
116
લીલા પૂછે છે કે મનોમય દેહ-પણા ની પ્રતીતિ દૃઢ થઇ જાય ત્યારે આ સ્થૂળ દેહ-મનોમય થઇ જાય છે કે પછી નાશ પામી જાય છે?
દેવી કહે છે કે જે પદાર્થ નું અસ્તિત્વ હોય-તેમાં નાશ અને અનાશનો ક્રમ સંભવિત છે,પણ, જે પદાર્થ વાસ્તવિક રીતે છે જ નહિ તેનો નાશ કેવી રીતે સંભવે?, રજુ નું રજુપણું સંજયથી સર્પ-રૂપી ભ્રમ નાશ પામે છે, ત્યારે સર્પ નાશ પામ્યો કે નથી નાશ પામ્યોએમ શું કહી શકાય? એટલે જેમ સાચું જ્ઞાન થવાથી,રાજુમાં સર્પ દેખાતો નથી,તેમ દેહમાં મનોમય-પણું દેખાતું નથી.
અમે તો ખરી રીતે દેહ-આદિ ને બ્રહ્મમાં રહેલા,બ્રહ્મથી પૂર્ણ અને બ્રહ્મ-રૂપ જ જોઈએ છીએ. પણ તું તે રીતે જોતી નથી.સુષ્ટિના આરંભમાં જયારે પહેલો "સંકલ્પ" ઉઠવાની કલ્પના" થઇ.ત્યારેચૈતન્ય -એ મનોમય-દેહ-રૂપ જ થયું હતું પણ ત્યારથી માંડીને જેમ જેમ સ્થળતા કલ્પાતી જાય છે. તેમ તેમ તે ચૈતન્ય-ભ્રાંતિથી પોતાને "દૃશ્ય-રૂપ" (જગત-રૂપ) થતું જોવે છે.
લીલા પૂછે છે કે-પરમ-તત્વ-રૂપ-એક જ ચૈતન્ય અત્યંત શાંત છે,અને દિશાઓના અથવા કાળ-આદિ ના વિભાગો થી રહિત છે-તેમાં પહેલી "કલ્પના"ને અવસર ક્યાંથી મળ્યો?
દેવી કહે છે કે-જેમ સ્વપ્નમાં કે સંકલ્પના નગર-આદિમાં સત્યતા નથી, તે જ રીતે વાસ્તવિક અનુભવ કરીએ તો-બ્રહ્મમાં કલ્પના પણ નથી જ. કારણકે તે બ્રહ્મ નિર્મળ હોવાથી તેમાં કલ્પના નો ભાગ આવે તેમ જ નથી. જેમ આકાશમાં રજ નથી તેમ બ્રહ્મ માં પણ કલ્પના નથી જ. બ્રહ્મ તો વિષયોથી રહિત,શાંત,એક,વ્યાપક અને સ્વત-સિદ્ધ છે.
લીલા પૂછે છે કે આટલા લાંબા સમય સુધી, કોણે આપણને આ સઘળા દ્વૈત (બ્રહ્મ-પ્રકૃતિ અને અદ્વૈત(બ્રહ્મ-કે ચૈતન્ય) ની કલ્પનાઓથી ભરમાવ્યા છે?
દેવી કહે છે કે તને તારા "વિચારો"એ જ લાંબા કાળ સુધી ભરમાવી છે.અને વ્યાકુળ કરી છે. એ "વિચાર" -સ્વાભાવિક રીતે ઉઠયો છે અને "વિચાર" થી જ તે નાશ પામે છે. તે વિચાર પણ બ્રહ્મની સત્તા થી જુદી સત્તા વાળો નથી, એટલે એ બ્રહ્મ માં અવિચાર-રૂપી અવિદ્યા (અજ્ઞાન) છે જ નહિ.આથી- આમ- તે બ્રહ્મમાં અવિચાર-અવિદ્યા બંધન કે મોક્ષ એવું કંઈ નથી. અને જે જગત છે તે-બાધરહિત અને શુદ્ધ બોધ-રૂપ "બ્રહ્મ" જ છે.
આટલા સમય સુધી તેં વિચાર કર્યો નથી, તેથી તે તું સમજી શકી નથી,અને ભમેલી તથા વ્યાકુળ રહી છે. હવે તારા ચિત્તમાં મુક્તિ નું (વાસનાઓ ની અલ્પતાનું) બીજ પડી ચૂક્યું છે એટલે તું આજથી સમજી છે, મુક્તિને યોગ્ય અને વિવેક્વાળી થઇ છે. પ્રમાતા-પ્રમેય અને પ્રમાણ -આ ત્રણે નો અભાવ થાય -અનેમનમાં નિર્વિકલ્પ સમાધિ-રૂપ -એક-બ્રહ્મ નું,અનુસંધાન દૃઢ થાય ત્યારે,"વાસના" કશી જ વસ્તુ નથી.
તારા મનમાં "વાસનાઓ નો ક્ષય" ના "બીજ-રૂપ" આ જે "વિચાર" કંઈક પણ અંકુરિત થયો છે, તોહવે અનુક્રમે કરીને રાગ-દ્વેષાદિ-વાસનાઓ ઉદય તારામાં થશે નહિ, સંસાર નો "સંભવ" નિર્મળ થશે, "પરમ-નિર્વિકલ્પ સમાધિ" સ્થિર થઇ જશે.અને વાસના-રૂપ અવિદ્યા (અજ્ઞાન કે માયા) ના છેડા-રૂપ એ "મોક્ષ" ને પ્રાપ્ત થઈશ.