SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દેવી કહે છે કે-જેમ, આંખો ઉઘાડવાથી,નજર સમક્ષ-તુરત જ સઘળાં રૂપો -પુરી રીતે પ્રતીત થાય છે, તેમ,જીવ ને "મરણ-રૂપ-મોહ" થયા પછી-તુરત-જ-"અનેક જગત" પ્રતીત થાય છે. જેમ, સ્વપ્ન માં પોતાના મરણ ની પોતાને પ્રતીતિ થાય છે,તેમ જીવે,સંસારમાં જે કાર્યો કર્યા હોય, દેખેલાં હોય કે અનુભવેલા હોય-તે કાર્યો માં પણ "મેં કર્યા" એવી પ્રતીતિ થાય છે. આ પ્રમાણે-ચિદાકાશમાં અંદર "માયા-રૂપી-આકાશમાં" અનંત ભ્રાન્તિઓ સ્ફૂરે છે. આ જગત નામની નગરી -એ ભીંત -વગર-જ ચિતરાયેલી છે.માટે "કલ્પના-માત્ર" જ છે. "આ જગત છે અને આ સૃષ્ટિ છે " એ રીતે "વાસના" જ સ્ફૂરે છે. અને આ વાસના -એ-નજીક હોય તેમાં દૂર-પણા નો અને ક્ષણમાં કલ્પ-પણા નો વિપરીત ભ્રમ કરે છે. વાસના બે પ્રકાર ની છે-એક-અનુભવેલા વિષયો ની અને બીજી-નહિ અનુભવેલા વિષયોની. જેમ સ્વપ્ન માં ભ્રમ ને લીધે બીજા કોઈના પિતાને જોઈને પોતાના પિતાની વાસના થાય છે-તેમઆ સંસારમાં નહિ અનુભવેલામાં પણ અનુભવેલા-પણા ની વાસના કોઈ સમયે ઉદય પામે છે. તો-કોઈ વાર -કોઈને-કોઈ પણ-વાસના વગર જ જગતનો અનુભવ થાય છે. દાખલા તરીકે -બ્રહ્મા ને પૂર્વ ની વાસના વિના જ જગતનો આરંભથી જ અનુભવ થયો હતો. હે,સુંદરી,જગત નું જે અત્યંત વિસ્મરણ થાય -તે જ "મોક્ષ" કહેવાય છે. અને મોક્ષની એ સ્થિતિમાં કોઈને કંઇ પણ પ્રિય-કે-અપ્રિય રહેતું નથી,કે બીજા કોઈ પદાર્થો પણ રહેતા નથી. અહંકાર અને અવિદ્યા (અજ્ઞાન) નો અત્યંત અભાવ થયા વિના-મોક્ષ ઉદય પામતો નથી. જો કે તે (મોક્ષ કે મુક્તિ -તો) સ્વાભાવિક રીતે જ "વિદ્યમાન" (હાજર) જ છે. જેમ,રજ્જુમાં થયેલ ભ્રમ-રૂપી સર્પ,એ વાસ્તવિક રીતે નહિ હોવા છતાં તેનો અત્યંત અભાવ સમજાય નહિ,ત્યાં સુધી તે ભ્રમ ટળતો નથી, તેમ,બ્રહ્મ માં પ્રતીત થયેલું આ ભ્રમ-રૂપ-જગત -એ -જ્યાં સુધી તે જગતનો અત્યંત અભાવ "સમજાય નહિ" ત્યાં સુધી ટળતું નથી. સમાધિ દશામાં "જગતની ભ્રાંતિ"થી છૂટવાનો અનુભવ,તે સમાધિ દરમ્યાન થોડો સમય થાય છે પણ સમાધિ છૂટ્યા પછી -પાછી -જગતની ભ્રાંતિ ઉદ્ભવે જ છે. એટલે તે અર્ધ-શાંતિ ઉપરથી જગતનો ભ્રમ શાંત પડી ગયો છે તેમ સમજવું નહિ જોઈએ. "આ જે વિસ્તીર્ણ સંસાર છે -તે બ્રહ્મ જ છે,એવો નિશ્ચય છે" અને જગત એ અવિદ્યા (અજ્ઞાન) ને લીધે ભાસે છે,અને એ અવિદ્યા-રૂપી કારણ દૂર થાય-તે પછી-પણજો પુનરાવૃત્તિ ને લીધે જો જગત સ્ફૂરે તો-તેને મિથ્યા જોયેલું હોવાને લીધે બંધન-કારક થતું નથી. લીલા કહે છે કે હે,દેવી,તમે કહી ગયા કે-"અમારા આ રાજા-રાણીના જન્મમાં,અગાઉના બ્રાહ્મણ-બ્રાહ્મણીના જન્મ-સમયમાં અનુભવેલી વાસના કારણ-રૂપ છે" અને જો એમ હોય તો,અત્યારના સમયના જે દૃશ્ય-પદાર્થો છે-તેઓ તે સમયે -તો-નહોતા, માટે તેમનો અનુભવ થયેલો ન જ હોવો જોઈએ, અને તે અનુભવ વિના તેમનો સંસ્કાર પણ ન રહેવો જોઈએ.અને આમ સંસ્કાર જો રહ્યો ના હોય,તો પછી આ સમયના દૃશ્ય-પદાર્થો કેમ ઉભા થાય છે? 113
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy