________________
અધ્યાયો.
૧
થયેલા છે તે પુરુષ પેાતાનાં કરેલાં તેમજ નહિ કરેલાં-નહિ કરવાનાં કર્મને સંભારતા નથી. આવા સતેષી પુરુષને જીવન્મુક્ત જાણવા. જીવન્મુક્ત અવસ્થાને જડવત્ ગણી છે તેમ છતાં તે જડવત્ નથી. આગળ આપણે કહી ગયા તેમ શરીરની સંભાળ ન લેવી તે કંઈ જીવન્મુક્તતા કહેવાય નહિ. શાસ્ત્રકારોએ શરીરની અવગણુના કરી ધર્મ સાધવાનું કહ્યું નથી. રામાાં આજી ધર્મસાધનમ્ એમ સ્પષ્ટ કહેલું છે. પુરુષે શરીરના મેાદ રાખવા નહિ, પરંતુ જીવન્મુક્ત હાય તેણે પણ પ્રારબ્ધ કર્મ પુરાં થાય ત્યાં સુધી તેને અવશ્ય જાળવવું. आब्रह्मस्तंबपर्यंतमहमेवेति निश्चयी ।
निर्विकल्पः शुचिः शांतः प्राप्तामाप्तनिर्वृतः ॥ ७॥
અર્થ. બ્રહ્મથી માંડીને તૃણુપર્યંત અધે હું, એક આત્માજ છું, એવા નિશ્ચયવાળા પુરુષ સંકલ્પરહિત, શુદ્ધ અને શાંત રહી લાભાલાભ વગરના હાઇ સુખી થાય છે.
ટીક આખા જગતને પાતા સમાન માનનાર પુરુષ લાભાલાભની ચિંતા કરતા નથી. સંસારની ભાવનાએ તેને અસ્વસ્થ રાખતી નથી અને તેનું મન સર્વદા શાંત રહે છે. આવે! પુરુષ મુક્તિ મેળવી શકે છે.
नानाश्चर्यमिदं विश्वं न किंचिदिति निश्चयी । निर्वासनः स्फूर्तिमात्रो न किंचिदिति शाम्यति ॥ ८ ॥
અર્થ. નાના પ્રકારનાં આશ્ચર્યથી ભરેલું આ વિશ્વ કંઈ લેખામાં નથી એવા નિર્વાસન પણ સ્મૃતિ માત્ર જીવન ગાળનારા પુરુષ આ બધું કંઇજ કામનું નથી, એમ જાણી શાંત પડી જાય છે.
ટીકા. વિવિધ પ્રકારનાં આશ્ચર્યાથી ભરેલું આ વિશ્વ છે તેમ છતાં તે કુમાત્ર નથી, એમ માનીને જે પુરુષ તેનાથી અળગા
ર