SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અાવક ગીત. બિલકુલ અભાવ થાય ત્યારે જ ચિન્માત્રતા પ્રાપ્ત થાય છે. યોગ વસિષમાં પણ કહ્યું છે કે સ્નેહથી, ધનના લેપથી, રતિ અને સ્ત્રીને ઈચ્છાથી, આપાત રમણીય વસ્તુઓની વાસનાથી પુરુષ દીન બની જાય છે. બંધ છે તે વાસનાને લીધે છે માટે વાસનાને ત્યાગ થા જેવો જોઈએ. જગત પ્રવચનીજ વાસનાનો ત્યાગ એક્લો બસ નથી. જે ખરેખરા આત્મસ્વરૂપમાં લીન થવા ઈચ્છે છે તેને માટે તે માક્ષર્વને પણ ત્યાગ કહેલો છે. તે જનક! તું પણ બધી વાંછનાએ સાથે મેક્ષરૂપી વાંછનાને પણ ત્યાગ કર અને એક પરમાનંદ સ્વ રૂપમાં લીન થઈ જા. વાસનાને અત્યંત ત્યાગ તો કેઈથી થયો નથી. સંસારી સાધુઓ અને આચાર્યોએ પણ તેને ત્યાગ કર્યો નથી તે કેમ? આ પ્રશના ઉત્તરમાં કહે છે કે, આખા વનમાં એકાદ સિહ હોય છે જ્યારે મૃગલાં ને સસલાંની તે હદજ હોતી નથી. તેમ વાસન ત્યાગી તો કાઈક જવલ્લેજ હોય છે. બીજા બધા સંસારી, સાધુ ! આચાર્ય માત્ર મોઢેથી બ્રહ્મ પિોકારે છે, અને ઇન્દ્રિયની તૃપ્તિને માં જગતમાં ભટકાં મારે છે. આવા ઢોંગીઓનું કલ્યાણ થતું નથી. - તે જન્મોજન્મ સંસારમાં ભટકતાજ રહેવાના, પરંતુ તેઓ, જે બ્ર પિકારે છે અથવા ઢંગથી પણ સબંધ કરતા ફરે છે તેમના ઉદગાર શ્રવણ કરનાર હજારે શ્રોતામાંથી એકાદ જણ વિવેકી નીકળે અને તેને આત્મજ્ઞાન થાય છે; એટલેએ ઢોંગીઓમાંથી પણ પ્રજાજન લાભ થાય છે, માટે શ્રવણ કરવું અને ધીરે ધીરે ચિત્તને વાંછનાઓ માંથી વાળવું એ જિજ્ઞાસુનું કર્તવ્ય છે. तदा मुक्तिर्यदाचित्तं न वांछति न शोचति । .. न मुंचति न गृह्णाति न दृष्यति न कुप्यति ॥१५॥ . અર્થ. ત્યારેજ મુક્તિ મળે છે કે જ્યારે ચિત્ત નથી
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy