________________
અધ્યાય ૯ મે.
૧૦૩
અર્થ. વિષયાના વેરી તે વિરક્ત અને વિષયામાં લાલુપ તે રાગી કહેવાય છે; પરંતુ ગ્રહણુ અને ત્યાગમાં નિરપેક્ષ હાય તે વિરક્ત નહિ અને રાગવાને નહિ, એમ કહેવાય છે.
ટીકા. જે પુરુષા સ્ત્રી પુત્રાદિકના ત્યાગ કરી દે છે તે વિરક્ત. અને વિષયેાની કામનાથી જે તેમાં વળચ્યા રહે છે તે રાગી છે. જે વિષયેાના ગ્રહણની ઇચ્છા કરતા નથી, તેમ પ્રારબ્ધવશાત્ મળી આવ્યા તે તેને ત્યાગ પણ કરતા નથી, તે ખરેખરા મુમુક્ષુ છે. हेयोपादेयता तावत्संसारविटपांकुरः ।
स्पृहा जीवति यावद्वै निर्विचारशास्पदम् ॥ ७॥
અર્થ. જ્યાં સુધી લેવા આપવા છેડવાની સ્પૃહા છે ત્યાં સુધી પુરુષ સંસાર વૃક્ષના અંકુરને વળગી રહેલાજ છે, એમ જાણવું, કારણ કે જ્યાં સુધી તે જીવે છે ત્યાં લગી અવિચાર દશામાં જતા રહે છે.
ટીકા. જે માણસ પૃહાળુ છે તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગ્રહણ કરતા અને ત્યાગ કરતા રહે છે. સંસારરૂપી વૃક્ષના અંકુરને ઉત્પન્ન કરી તને વધારનારી સ્પૃહા તૃણા છે. આ સંસારના ભાગ વગેરેની તૃષ્ણા જ્યારે ફ્રુટે, ત્યારેજ જીવન્મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મન તૃષ્ણામાં રહેલું છે, ત્યાં સુધી પુરુષ ગમે તેટલા પ્રયત્ન કરે તાપણુ તને જ્ઞાન થતું નથી.
तो जायते रागो निवृत्तौ द्वेष एव हि ।
निर्द्वद्वो बालवद्धीमान् एवमेव व्यवस्थितः || ८ ॥
અર્થ. પ્રવૃત્તિમાં રાગ ઉત્પન્ન થાય છે અને નિવૃત્તિમાં તે પ્રતિ દ્વેષ ઉપજે છે, તેથી કરીને બુદ્ધિમાન મુમુક્ષુ તે ખાળકની મા નિર્દેઢ જેવા થઈ રહે છે.