________________
अध्याय ९ मो.
આક્ય નિરુપણુ. आचक्ष्व श्रृणु वा तात नानाशास्त्राण्यनेकशः। तथापि न तव स्वास्थ्यं सर्वविस्मरणाकृते ॥१॥
અર્થ. હે તાત! (જનક) નાના પ્રકારનાં અનેકવાર શા શ્રવણ કરે કિંવા કહો, તથાપિ તે સર્વને વિસરી જવા સિવાય તને સ્વાધ્ય પ્રાપ્ત થશે નહિ.
ટીકા. બ્રહ્મજ્ઞાન થયા પછી શાસ્ત્રાદિનું ચિંતવન પણ નકામું છે, કારણ કે એ પણ મનને ઠરવા દેતું નથી. પંચદશકારે કહ્યું છે કે, જેમ ધાન્યાથી માણસ ડાંગરમાંથી ચાખા મેળવ્યા પછી પરાળ અને ફોતરાં નાંખી દે છે, તેમ જ્ઞાનાર્થીઓ પણ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સર્વ શાસ્ત્રનું વિસ્મરણ કરી દેવું. ચિત્તની શુદ્ધિને માટે જેમ કર્મ કરવાનાં કહ્યાં છે, તેમ પ્રથમ જ્ઞાન મેળવવાને શાસ્ત્રો વાંચવાં, સાંભળવાં અને ઉપદેશ રૂપે બીજાને કહેવાં; પરંતુ જીવન્મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં તે તેની જંજાળ પણ ત્યજી દેવી, એ અત્ર વક્તવ્ય છે.
भोगं कर्म समाधि वा कुरु विज्ञ तथापि ते। चित्तं निरस्त सर्वाशमत्यर्थे रोचयिष्यति ॥२॥
અર્થ. હે વિજ્ઞ! જાણકાર-વિદ્વાન ! ભેગ ભેગવ, અને કર્મ કર કે સમાધિ સાધ, પરંતુ જ્યાં સુધી સર્વે આશાઓને ત્યાગ કરીશ નહિ ત્યાં સુધી તો તે તારા ચિત્તને સચ્ચાજ કરશે. તાત્પર્ય કે–ચિત્તમાંથી આશાઓને સદંતર લેપ નહિ કરે ત્યાં સુધી ગમે તેટલા ભેગ, કર્મ અને સમાધિઓ કરીશ તેપણ આત્મજ્ઞાન થશે નહિ.