________________
બાહ્ય-દય પદાર્થો (સંસાર) નું અવલંબન (આધાર) કરતો હોય તેવા, --મૂઢ (અજ્ઞાની) ને “આત્મા” નું દર્શન ક્યાંથી થાય ? --જ્ઞાની પુરુષ તે દૃશ્ય પદાર્થ (સંસાર) ને ના જોતાં,અવ્યય (અવિનાશી) આત્મા ને જુએ છે. (૪૦)
જે હઠથી પ્રયત્ન કરે છે, તે મૂઢ (અજ્ઞાની પુરુષ ને ચિત્ત નો નિરોધ ક્યાંથી થાય ? પણ, --આત્મામાં જ રમણ કરનાર જ્ઞાની ને એ ચિત્ત નિરોધ સર્વદા અને સહજ હોય છે. (૪૧)
કોઈ એક ભાવરૂપ (પ્રપંચ-માયા) ને “સત્ય” માનવાવાળો છે, --તો બીજો કોઈ અભાવરૂપ “કશુજ નથી (મિથ્યા)” માનનારો હોય છે, જયારે --કોઈ વિરલ એ બંને (ભાવ-અભાવ) ને નહિ માનવા વાળો “જે ને તેમાં સ્થિતિ માં શાંત રહે છે. (૪૨)
૧ણી,
દુર્બુદ્ધિ પુરુષો શુદ્ધ અને અદ્વિતીય “આત્મા” ની “ભાવના” કરે છે, પણ, --“મોહ” ને લીધે તે આત્મા ને જાણતા નથી કે જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને એથી, --સારા યે (આખા) જીવન દરમિયાન તે “સુખ” વગરના રહે છે. (૪૩)
મુમુક્ષ (મોક્ષ ને ઇચ્છનાર) ની બુદ્ધિ, સંસારિક વિષયોના આલંબન (આધાર) વગર રહી શકતી નથી, --જયારે મુક્ત ની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને વિષયોના આલંબન (આધાર) વગરની હોય છે. (૪૪)
વિષયો-રૂપી વાઘ” ને જોઈ ને,ગભરાયેલા અને પોતાના શરીરની ચિંતા થી પોતાનું રક્ષણ કરવા, --શરણું ઇચ્છતા તેવા મૂઢો (અજ્ઞાનીઓ) “ચિત્ત ના નિરોધ અને એકાગ્રતા” ની સિદ્ધિ માટે, --જલ્દી થી પર્વતની ગુફા માં પ્રવેશ કરે છે. (૪૫)
જયારે “વાસનારહિત (વાસના-વગરના) પુરુષ-રૂપ” સિંહ ને જોઈને “વિષયો-રૂપી વાઘ” નાસી જાય છે, --અને અસમર્થ અને ક્રિયામાં આસક્ત રહેનારા તે મૂઢો (અજ્ઞાનીઓ) ખુદ આવી ને,તે, --વાસના વગરના મુક્ત-જ્ઞાની પુરુષો નું સેવન (સત્સંગ-વગેરે) કરે છે. (૪૬)
નિશંક (શંકા-સંશય વગરનો) અને સ્થિર મનવાળો, જ્ઞાની-મુક્ત પુરુષ, --મોક્ષ ને માટે ક્રિયાઓ (સાધનાઓ-કર્મો) કરતો નથી (ક્રિયાઓનો આગ્રહ રાખતો નથી) પણ, --જોતો,સાંભળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો –(કશામાં આસક્ત થયા વિના) સુખ માં રહે છે. (૪૭)
યથાર્થ વસ્તુ (સત્ય) ના શ્રવણ માત્ર થી જ શુદ્ધ બનેલી બુદ્ધિવાળો, અને સ્વસ્થ ચિત્તવાળો,મનુષ્ય, --કર્મ કે અકર્મ (વિકર્મ-ઉદાસીનતા) ને જોતો નથી. (૪૮) શુભ કે અશુભ ,જયારે જે કંઈ પણ કરવાનું આવે, તે એ સરળ (મુક્ત-જ્ઞાની) મનુષ્ય કરે છે, --અને તેનો વ્યવહાર અને ચેષ્ટા (વર્તન) બાળક ના જેવું હોય છે.(બાળક જેવું દેખાય છે) (૪૯)
સ્વતંત્રતાથી (જ્ઞાની) “સુખ” ને પામે છે, સ્વતંત્રતાથી “પર-બ્રહ્મ” ને મેળવે છે, -- સ્વતંત્રતાથી પરમાનંદ ને પ્રાપ્ત કરે છે, સ્વતંત્રતાથી પરમ-પદ ની (સ્વ-રૂપની) પ્રાપ્તિ થાય છે. (૫૦)
જયારે મનુષ્ય પોતાના આત્મા ને અકર્તા (કર્મ નહિ કરનાર) અને અભોક્તા (ફળ નહિ ભોગવનાર) માને છે, --ત્યારે તેની બધી ચિત્ત વૃત્તિઓ નો નાશ થાય છે. (૫૧)
ધીર (જ્ઞાની) પુરુષ ની શાંતિ વગરની (ઉચ્છંખલ) સ્વાભાવિક સ્થિતિ શોભે છે,પણ,